Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 Side effects Of Bed Tea- સવારે ખાલી પેટ પીઓ છો ચા, તો શરીરને થશે ઘણા બધા નુકશાન થઈ શકે છે આ પરેશાની

Webdunia
રવિવાર, 5 ડિસેમ્બર 2021 (07:36 IST)
ચાની સુંગંધ જ સવારના આળસને ભગાડવા માટે ઘણી હોય છે અને વધારેપણ ભારરીય ઘરોમાં દિવસની શરૂઆત એક કપ ગરમા-ગરમ ચાથી હોય છે. કદાચ કોઈ એવુ ઘ ના હોય જ્યાં ચા ના બનતી હોય્ ભારતમાં મેહમાનોના સ્વાગત પણ ચાની સાથે કરાય છે અને કેટલાક લોકો તો દિવસમાં ઘણી વાર ચાનો મઝા લે છે પણ આ જે તમને મજા આઆપે છે તેમજ આરોગ્ય માટે પણ એક સજા હોય છે. 
 
કેટલાક ન્લોકોને બેડ ટી ખૂબ પસંદ હોય છે તે સવારે ઉઠ્યાની સાથે જ ચા પીવે છે ત્યારબાદ જ તે તેમના દિવસની શરૂઆત કરે છે. બેડ ટી તમારા આરોગ્ય માટે ખરાબ હોઈ શકે છે ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે. ખાલી પેટ ચા પીને તમે તમારા પેટને સીધુ નુકશાન પહોંચાડી શકો છો. તેનાથી અલ્સર કે ગેસ જેવી પરેશાનીઓ વધવાની શકયતા રહે છે. એક નજર બેડ ટીના સાઈડ ઈફેક્ટા પર 
 
ખાલી પેટ ચાના હોય છે આ નુકશાન 
 
 બેડ  ટી પીવી સૌને પસંદ હોય છે. પણ આ શોખ તમારી લાઈફમાં આવનારા સમયમાં અનેક પ્રકારની પ્રોબ્લેમને જન્મ આપી શકે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જે સવારે ઉઠીને સૌ પહેલા રસોડામાં જઈને ચા પીવે છે અને ત્યારબાદ જ પોતાન દિવસની શરૂઆત કરે છે. જો તમે પણ આવી ટેવથી મજબૂર છો તો આ જરૂર વાંચો. 
 
સવારની શરૂઆત કરવા માટે સૌ પહેલી જરૂરી વસ્તુ મોટાભાગના લોકો માટે ચા હોય છે.  એક રિસર્ચ મુજબ લગભગ 80 ટકા લોકોને બેડ ટી પીવાની ખરાબ ટેવ હોય છે. ચા પીધા વગર પથારીમાંથી ઉઠતા નથી. ખાલી પેટ ચા પીવાના શુ શુ નુકશાન થઈ શકે છે એ જાણશો તો ચોકી જશો. 
 
ઋતુ ભલે ગમે તે હોય.. શિયાળો હોય કે ઉનાળો. ખાલી પેટ પીવી હંમેશા નુકશાનદાયક જ રહે છે. આવુ એ માટે થાય છે કારણ કે ચા માં જરૂર કરતા વધુ કૈફીન હોય છે. કૈફીન સાથે ચા માં થિયોફાઈલીન અને એલ થયનિન જેવા ખનીજ તત્વ હોય છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ખનીજ તત્વોનુ સેવન કરવાથી શરીર ખૂબ ઉત્તેજીત થઈ જાય છે. અનેક લોકોનુ એવુ માનવુ છે કે સવારે ખાલી પેટ બ્લેક ટી પીવાથી આરોગ્ય સારુ રહે છે અને શરીર સ્વસ્થ થાય છે. પણ અમે તમને બતાવી દઈએ કે એવુ બિલકુલ નથી. આ માન્યતા એકદમ ખોટી છે. 
 
બ્લેટ ટી હોય કે દૂધવાળી ચા બધી છે ખતરનાક 
 
ખાલી પેટ બ્લેક ટી પીવી ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.  આવુ કરવાથી તમને જાડાપણુ જેવી ભયંકર બીમારીને આમંત્રણ આપો છો.  બ્લેક ટી જ નહી પણ દૂધવાળી ચા પણ તમારા આરોગ્ય માટે ખૂબ નુકશાનદાયક છે. જો કે તેની અસર ધીરે ધીરે થાય છે. 
 
સવારે ખાલી પેટ દૂધવાળી ચા પીવાથી તમારા સ્વભાવમાં ચિડચિડાપણુ આવવા માંડે છે અને તમને જાણ પણ નથી થતી. આ સાથે જ ખાલી પેટ ચા પીવાથી તમને જલ્દી થાક લાગી શકે છે. ખાલી પેટ ચા પીવાથી તમને ગભરામણ અને ઉબકા આવવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 
આ સાથે જ ખાલી પેટ ચા પીવાને કારણે પેટની અંદર જખમ, પેટમાં બળતરા થવી અને ચાંદા પડવા જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. તેથી સવારે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવો અને કોઈ હળવો નાસ્તો કર્યા પછી જ ચા પીવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ