Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબ હોળી રમ્યા પછી શુ ત્વચા પર થઈ છે એલર્જી, તો આ Tips કરશે તમારી મદદ

Webdunia
શનિવાર, 19 માર્ચ 2022 (10:25 IST)
હોળી(Holi)નો તહેવાર વીતી ગયો. તમે પણ આ દરમિયાન તમારા મિત્રો અને પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરી હશે. પરંતુ આજકાલ પાક્કા રંગો અને ગુલાલ(Colors)માં અનેક પ્રકારના કેમિકલ ભેળવવામાં આવે છે, જેની કિંમત પાછળથી ત્વચા(Skin)ને ચૂકવવી પડે છે. જેના કારણે ત્વચા પર એલર્જી, બળતરા, ખંજવાળ વગેરેની સમસ્યા થાય છે. તે જ સમયે, કેટલાક લોકોની ત્વચા ખૂબ જ નિસ્તેજ થઈ જાય છે અને ગ્લો ગાયબ થઈ જાય છે. જો હોળી પછી તમારી સાથે આવી કોઈ સમસ્યા થઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવી કેટલીક રીતો જણાવીશું જે તમને આ સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
 
ઘી અથવા નાળિયેરનું તેલ
જો તમને તમારા ચહેરા પર એલર્જી છે, તો તેનાથી બચવા માટે તમારે તમારી ત્વચા પર ઘી અથવા નારિયેળનું તેલ લગાવવું જોઈએ. તેનાથી ત્વચાની શુષ્કતા ઓછી થશે. ખંજવાળ, ફોલ્લીઓ વગેરેની સમસ્યામાં રાહત આપશે અને તમારા ચહેરાની ચમક પણ પાછી લાવશે.
 
લીમડાના પાન
લીમડાના પાન તમારા ચહેરા પરની કોઈપણ પ્રકારની એલર્જી અથવા ફોલ્લીઓને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારે આ પાંદડાને પીસીને તમારા ચહેરા પર લગાવવાના છે. ચહેરો સુકાઈ ગયા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.
 
દહીં અને બેસન
જો ચહેરાનો રંગ ગાયબ થઈ ગયો હોય, તો તમે દહીં અને ચણાના લોટનો ફેસ પેક લગાવી શકો છો. તેને ત્વચા પર લગાવ્યા બાદ પહેલા થોડીવાર મસાજ કરો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. આ પેકને ફરીથી લગાવો અને તેને સુકાવા દો. સુકાઈ ગયા પછી ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. આનાથી ચહેરા પર ભેજ આવશે અને ખોવાયેલો ગ્લો ફરી પાછો આવશે.
 
મસુરની દાળ
ચહેરાની ચમક પાછી લાવવા માટે દાળનું પેક પણ ખૂબ જ ઉપયોગી છે. આ માટે લાલ દાળને થોડી વાર પાણીમાં પલાળી રાખો. આ પછી, દાળને પીસીને તેમાં થોડું દૂધ અને મધ મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો અને સુકાવા દો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
 
એલોવેરા જેલ
એલોવેરા જેલ ત્વચામાં ચમક લાવવાની સાથે ત્વચાની એલર્જીને દૂર કરવાનું પણ કામ કરે છે. આ માટે ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને થોડી વાર સુકાવા દો. ત્યાર બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. જો શક્ય હોય તો દિવસમાં ઓછામાં ઓછા બે વાર આ કરો. તેનાથી ઘણી રાહત મળશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments