Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સવારે સાંઘાનો દુઃખાવો કેવી રીતે દૂર કરશો, એક્સપર્ટ પાસેથી જાણો કેમ રાત્રે આપણા ઘૂંટણ જામ થઈ જાય છે

Morning Joint Stiffness
Morning Joint Stiffness
 
સવારની હળવી જડતા સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલુ રહે અથવા તેની સાથે દુઃખાવો, સોજો અને ગરમી હોય, તો ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.
ALSO READ: શું તમને પણ રાત્રે જલ્દી ઉંઘ નથી આવતી ? કે પછી સાંઘાના દુઃખાવાથી પરેશાન છો ? તો રોજ પીવો હળદરવાળું દૂધ
 
જ્યારે તમે રાત્રે ઘણા કલાકો સુધી એક જ સ્થિતિમાં આરામ કરો છો, ત્યારે તમારા સાંધામાં રહેલું સાયનોવિયલ પ્રવાહી, જે તેમને લુબ્રિકેટ કરે છે, ધીમે ધીમે ઓછું સક્રિય થાય છે. જ્યારે તમે સૂતા હોવ ત્યારે બળતરાના સંકેતો કુદરતી રીતે વધી શકે છે, અને આ સ્તર સવારે ટોચ પર પહોંચી શકે છે. ઊંઘ શરીરની ગતિવિધિ ઘટાડે છે, જેના કારણે બ્લડ સર્કુલેશન ઓછું થાય છે. ઊંઘ દરમિયાન આ ઓછી થતી ગતિવિધિ સાંધા અને આસપાસના પેશીઓમાં બ્લડ સર્કુલેશનને પણ ઘટાડી શકે છે. આ જ કારણ છે કે જ્યારે તમે સવારે પથારીમાંથી બહાર નીકળો છો અને પહેલા થોડા પગલાં ભરો છો ત્યારે તમારા સાંધા થોડા કડક થયા હોય એવું લાગી શકે છે. થોડી હલનચલન પછી, સાંધામાં રહેલું પ્રવાહી ફરીથી સક્રિય થાય છે, અને કડકાઈ ઓછી થવા લાગે છે. એક્સપર્ટ મુજબ જાણો  સાંધાની જડતાને કેવી રીતે દૂર કરવી.
 

સાંધાઓની જડતા ક્યારે સમસ્યા બની શકે છે? 

 
જો સાંધાઓની જડતા માત્ર થોડી મિનિટો સુધી રહે છે અને હલનચલન કરવાથી દૂર થઈ જાય છે, તો તે સામાન્ય રીતે ચિંતાનું કારણ નથી. જો કે, લાંબા સમય સુધી રહેતી જડતા મુશ્કેલીકારક હોઈ શકે છે. જો જડતા એક કલાક કે તેથી વધુ સમય સુધી રહે છે, ખાસ કરીને દરરોજ અનુભવાય છે, તો તેના પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, જો જડતાની સાથે સાંધામાં સોજો, ગરમી અથવા તીવ્ર દુખાવો પણ થતો હોય, તો તે શરીરની કોઈ અંતર્ગત ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
 

તમારા શરીરના સંકેતોને સમજો 

 
સાંધાઓની જડતા કેટલી વાર અનુભવાય છે, તે કેટલો સમય સુધી ચાલે છે અને હલનચલન કરવાથી તેમાં કેટલો સુધારો થાય છે, આ બાબતો તમને સમસ્યાનું મુખ્ય કારણ સમજવામાં મદદ કરી શકે છે. માત્ર સાંધા કેટલા જડ થઈ ગયા છે તે મહત્વનું નથી, પરંતુ તે કેટલી વાર થાય છે, કેટલા સમય સુધી રહે છે અને તેની સાથે અન્ય કયા લક્ષણો જોવા મળે છે તે ધ્યાનથી સમજવું જરૂરી છે.
 
 

સવારે સાંધાઓની અકડન (જડતા) કેવી રીતે દૂર કરવી?

 

ધીમે-ધીમે શરીરને એક્ટીવ કરો 

 
બિસ્તર પરથી ઊઠતાની સાથે જ અચાનક ઝડપી પ્રવૃત્તિ કરવાને બદલે હળવી કસરત કે મુવમેન્ટ કરો. હાથ-પગ હલાવવા, ઘૂંટણને ધીમે-ધીમે વાળવા અને સીધા કરવા જેવા નાના હલનચલન સાંધાઓને સક્રિય કરવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ ધીમે-ધીમે ચાલવાનું શરૂ કરો.
 

સવારે પૂરતું પાણી પીવો 

 
સવારે ઊઠ્યા પછી પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહેવું એ સામાન્ય શારીરિક કાર્યો માટે ખૂબ જરૂરી છે. તેથી દિવસની શરૂઆત એક ગ્લાસ પાણીથી કરવી એ સારી ટેવ છે.
 

ખાવા-પીવા પર ધ્યાન આપો 

 
લાંબા સમય સુધી સાંધા અને સમગ્ર શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે. આહારમાં ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ (નટ્સ) અને હેલ્ધી ફેટ ધરાવતા ખોરાકનો સમાવેશ કરો. વધુ પડતા પ્રોસેસ્ડ અને ખૂબ મીઠા ખોરાકનું સેવન ઓછું કરવું હિતાવહ છે.
 

ગરમાવાથી મળી શકે છે રાહત

 
 સવારે નવશેકા (હૂંફાળા) પાણીથી સ્નાન કરવું અથવા અસરગ્રસ્ત ભાગ પર હળવો ગરમ શેક કરવો સાંધાઓની જડતા ઓછી કરવામાં અને આરામ આપવમાં મદદ કરી શકે છે. ગરમાવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધારવામાં પણ મદદ મળે છે.

 

રોજિંદી નાની આદતો વધુ મહત્વની છે 

 
સાંધાના સ્વાસ્થ્ય માટે એક જ દિવસે વધુ પડતી કસરત કરવા કરતાં રોજ થોડું-થોડું સક્રિય રહેવું વધુ જરૂરી છે. નિયમિત વોક (ચાલવું), હળવી સ્ટ્રેચિંગ અને યોગ્ય આહાર જેવી નાની આદતો સતત અપનાવવાથી લાંબા ગાળે મોટો ફાયદો થાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha Bandhan Tips- આ રક્ષાબંધન આટલું કરો, તમારા ભાઈ-બહેનનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બનશે