Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Webdunia
શનિવાર, 20 એપ્રિલ 2024 (01:21 IST)
આજકાલ, સમય બચાવવા માટે, લોકો ફ્રિજમાં બાંધેલો લોટ મુકે છે અને આ લોટમાંથી રોટલી બનાવે છે અને તેને ઘણા દિવસો સુધી ખાતા રહે છે. ઓફિસ જતા લોકો અથવા જે લોકોના ઘરે નોકરાણીઓ કામ કરે છે તેઓ મોટેભાગે આવું કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ટેવ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે  ફ્રિજમાં બાંધેલો લોટને મુકવાથી અને પછી તે જ લોટમાંથી રોટલી બનાવીને ખાવાથી તમારા શરીરને અનેક નુકસાન થઈ શકે છે. તમારે ભૂલથી પણ આવા રોગયુક્ત કોળીયાને ન ખાવો જોઈએ.
 
ફ્રિજમાં મુકેલી રોટલી ખાવાના નુકશાન
જો તમે લોટને બાંધ્યા બાદ તેને ફ્રિજમાં રાખો છો તો લોટમાં ઘણા પ્રકારના કેમિકલ બનવા લાગે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેથી, લોટને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં ન રાખો.
 
જો તમે લોટને 10-12 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો છો, તો તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે. આ પ્રકારનો લોટ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ રહેલું છે.
 
રેફ્રિજરેટરમાં મુકેલો લોટ ખાવાથી માયકોટોક્સિન શરીરમાં પહોંચે છે. તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે અને પેટની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
 
રેફ્રિજરેટરમાં મુકવામાં આવેલા લોટમાં પોષણની કમી થવા માંડે છે. આવા લોટનો સ્વાદ બદલાઈ જાય છે અને પોષક તત્વોની ઉણપ રહે છે.
 
 
ફ્રીજમાં લોટ કેટલો સમય રાખવો જોઈએ?
જો તમે  ફ્રિજમાં લોટ મૂકી રહ્યા છો, તો તેનો ઉપયોગ 2-3 કલાકમાં થઈ જવો જોઈએ. જો કોઈ મજબૂરી હોય તો તમે લોટને વધુમાં વધુ 7-8 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી શકો છો. જો રેફ્રિજરેટરમાં મુકેલો લોટ કાળો થઈ જાય અથવા તેનો રંગ બદલાઈ જાય તો આવા લોટનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. આ લોટ બગડી જવાના સંકેતો છે. લોટને હંમેશા બોક્સમાં ઢાંકીને રાખો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments