Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Webdunia
મંગળવાર, 18 માર્ચ 2025 (10:43 IST)
Arjun chaal tea
Herbal Tea For Heart - છેલ્લા કેટલાક વર્ષો હાર્ટની બીમારીઓનો ખતરો ખૂબ તેજી વધી રહી છે. પહેલા વધુ વયનાં લોકોની હાર્ટની બીમારીઓ થતી હતી. પણ હવે ઓછી વયનાં લોકો પણ તેનો સામનો કરી રહયા છે. ખરાબ લાઈફસ્ટાઇલને કારણે હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થઈ રહી છે, જે હાર્ટ અટેકનો ખતરો અનેક ગણો વધારી રહી છે.  આવી સ્થિતિમાં સમય સમય પર તમારા હાર્ટનું ચેકઅપ કરાવતા રહો અને તેની સાથે કેટલીક આયુર્વેદિક અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો જે હાર્ટને મજબૂત બનાવશે અને હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઘટાડશે. તમારા હાર્ટને સ્વસ્થ બનાવવા માટે, સવારે ઉઠ્યા પછી આ દેશી ચા પીવાનું શરૂ કરો. આનાથી હૃદય રોગનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.
 
હાર્ટ માટે અર્જુનની છાલના ફાયદા
મોટાભાગના આયુર્વેદ નિષ્ણાતો અર્જુનની છાલને હાર્ટ માટે અસરકારક માને છે.  અર્જુનની છાલ હાર્ટ માટે રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. અર્જુનની છાલનો ઉપયોગ માત્ર દિલને મજબૂત બનાવવામાં જ ઉપયોગી નથી પણ તે બીજા ઘણા ફાયદા પણ આપે છે. અર્જુનની છાલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખે છે અને હાર્ટની પમ્પિંગ શક્તિમાં પણ વધારો કરે છે.
 
અર્જુનની છાલના ફાયદા
અર્જુનની છાલમાં અસંખ્ય પોષક તત્વો અને ફાયટોકેમિકલ્સ હોય છે, જે તેને સૌથી અસરકારક આયુર્વેદિક ઔષધિઓમાંની એક બનાવે છે. અર્જુનની છાલમાં ફ્લેવોનોઈડ્સ, ટેનીન, ટ્રાઈટરપેનોઈડ્સ અને સેપોનિન જેવા ફાયટોકેમિકલ્સ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં આર્જુનોલિક એસિડ, ગેલિક એસિડ, એલાજિક એસિડ જેવા ઘણા આવશ્યક સંયોજનો પણ મળી આવે છે.
 
અર્જુનની છાલ શું કામમાં આવે છે? 
અર્જુનની છાલ કોઈ અસરકારક દવાથી કમ નથી. તેનો ઉપયોગ ફક્ત દિલને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે જ નથી થતો પરંતુ તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં પણ મદદ કરે છે. અર્જુનની છાલ શુષ્ક ત્વચા, કફ અને ઉધરસમાં પણ રાહત આપે છે. આ માટે અર્જુનની છાલનો ટુકડો પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને ગાળી લો અને તેની છાલ કાઢીને ફેંકી દો. હવે આ પાણી પી લો.
 
અર્જુનની છાલનો ઉપયોગ
અર્જુનની છાલનો પાવડર પણ બજારમાં મળે છે. તેને પાણીમાં આદુ અને તુલસી સાથે નાખીને ઉકાળો. સવારે ખાલી પેટે આ પાણી પીવો. જો તમે ઈચ્છો તો, તમે અર્જુનની છાલની ચા બનાવી સવારે પી શકો છો. જેમાં તમે મુલેઠી  અને સ્ટીવિયા ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો. આ ઉપરાંત, અર્જુનની છાલના પાવડરને મધમાં ભેળવીને તેનું સેવન કરો. આયુર્વેદમાં અર્જુનની છાલની ગોળીઓ પણ ઉપલબ્ધ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments