Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips : આ 8 ઉપાય ભીષણ ગરમીથી બચવામાં કરશે તમારી મદદ

Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (19:09 IST)
દિલ્હી સહિત આખા દેશમાં ભીષણ ગરમીનો કહેર ચાલુ છે. પારો નિત નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. આ સાથે જ ગરમીમાં થનારી બીમારીઓના કેસ પણ સતત વધી રહ્યા છે. તાપ અને લૂ ઉપરાંત ગંદકી અને દૂષિત ખોરાક કે પાણીથી આ ઋતુમાં લોકો બીમાર પડે છે. કેટલીક સાવધાનીઓ અપનાવીને ઋતુની મારથી બચી શકાય છે. 
 
લાબા સમય સુધી બહાર રહેવાથી બચો.  બપોરે 12થી 3 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવાથી બચવુ જોઈએ. આખા દેશમાં ચાલી રહેલા ગરમીના પ્રકોપથી બચવા માટે તાપના સીધા સંપર્કમાં આવવાથી પરેજ કરો. 
 
તાપમાં નીકળવાથી બચો - દિવસના સમયે તાપમાં બહાર નીકળવુ જરૂરી છે તો સનસ્ક્રીનનો ઉપયોગ જરૂર કરો. આ ઉપરાંત ટૈનિગ અને સનબર્નથી બચવા માટે છત્રી, ટોપી, ભીનો ટોવેલ અને ઠંડુ પાણી સાથે લઈને નીકળો. 
 
ખાવા પીવામાં સ્વચ્છતા -  ખાવા પીવામાં સાફ સફાઈનુ ખૂબ વધુ ધ્યાન રાખો. બહારનો તળેલો ખોરાક અને ખુલ્લામાં બનેલો કોઈપણ ખાદ્ય પદાર ખાવાથી બચો. આ ઋતુમાં દૂષિત ખાવા પીવાથી બીમારીનુ સંકટ વધી જાય છે. બાળકોને પણ આ વાતની માહિતી આપો અને તેમને કંઈ પણ ખાતા પહેલા હાથ ધોવા પ્રેરિત કરો. 
 
પ્રવાહી ખોરાકનો ઉપયોગ વધારો : શક્ય હોય ત્યાં સુધી પ્રવાહીનો ઉપયોગ કરો, જેમ કે લીંબુ પાણી. ધ્યાન રાખો કે આ પાણી ઠંડુ હોય પણ બરફવાળુ નહી.  નહી તો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચ, શક્કરટેટી, કેરી, કાકડી, ખીરા જેવા મોસમી ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. જો કે, તેના સેવન સાથે જોડાયેલી કેટલીક સાવચેતીઓ છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીરમાં પાણીની કમી ન થવા દો. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો. આ સિઝનમાં છાશ, લસ્સી, કાચી કેરીનુ પનુ, બેલનુ શરબત કે સત્તુ શરબત ખૂબ જ ફાયદાકારક હોય છે.
 
એક સાથે વધુ પડતું ખાવાનું ટાળોઃ ઉનાળાની ઋતુમાં દિવસની શરૂઆત મીઠા અને રસદાર ફળોથી કરવી સારી રહેશે. ચીકુ, આલુ, ​​તરબૂચ, શક્કરટેટી અથવા નારંગી સારો વિકલ્પ હોઈ શકે છે. સલાદમ આં  રૂપમાં ડુંગળી અને કાકડી અવશ્ય ખાઓ. આ તમને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવશે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રાખશે. વાસ્તવમાં, તેમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય છે, તેથી શરીરનું તાપમાન નિયંત્રિત રાખે  છે. 
 
ખાવામાં મીઠા પર કાબુ રાખો - આ ઋતુમાં ખાવામાં મીઠુ સામાન્ય માત્રામાં રાખવુ જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કૈફીન, દારૂ કે અત્યાધિક ચા પીવાથી બચો. કારણ કે તેનો ઉપયોગથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments