Webdunia - Bharat's app for daily news and videos

Install App

જવનુ પાણી પીવાના ફાયદા તમે જાણો છો ?

Webdunia
બુધવાર, 21 માર્ચ 2018 (14:00 IST)
જવનું પાણી એક એવો પદાર્થ છે જે ઉકાળીને તૈયાર કરવામાં આવે છે જો તેમા થોડીક ખાંડ અને લીંબુ પણ મિક્સ કરી દેવામાં આવે તો આ એક શાનદાર પીણું બની શકે છે.  જવના પાણીમાં એટલા સ્વાસ્થ્ય લાભ છે કે તમે સાંભળીને શૉક થઈ જશો. તો ચાલો અમે તમને બતાવીએ બેનિફિટ્સ ઑફ બર્લેય વોટર. 
 
જવનું પાણી બનાવવાની વિધિ 
 
1. આ બનાવવા માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જવમાં 1 કપ પાણી મિક્સ કરી લો. જ્યા સુધી જવ નરમ થઈ જાય ત્યા સુધી તેને ઉકાળો.  આ મિશ્રણને ગાળી લો. 
 
2. તમે છાલટાવાળા અને છાલટા વગરના બંનેમાંથી કોઈ પણ પ્રકારના જવ લઈ શકો છો. છાલટાવાળામાં વધુ ફાયબર હોય છેઅને પકાવવામાં વધુ સમય લાગે છે પણ છાલટાં વગરના પકવવા સહેલા હોય છે.  અપનાવો આ જવ રેસીપી અને બનાવો જવનું પાણી.  
 
 
જવના સ્વાસ્થ્ય લાભ 
 
1. જવમાં રહેલા બીટા-ગ્લુકોને શરીરમાં ઝેરીલા પદાર્થોને મળ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે અને બવાસીરના સંકટને ઓછુ કરે છે.  આ તમને કબજિયાતમાં રાહત અપાવે છે. આંતરડા સાફ રાખે છે. જેનાથી પેટનુ કેંસર થવાની શક્યતા ઓછી થઈ જાય છે. 
 
2. આ મૂત્રવર્ધકના રૂપમાં કામ કરે છે. આ બેકાર પાણી અને ટૉક્સિક સબ્સટાંસને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખે છે.  
 
3. આ ગરમીને ઓછી કરે છે તેથી ગરમીમાં તેનુ સેવન ફાયદારૂપ છે. આ ઠંડક કરે છે તેથી જો મસાલેદાર ખાવાથી તમારા પેટમાં બળતરા થઈ રહી હોય તો આ તમને રાહત આપી શકે છે. 
 
4. જવના પાણીની ફાયદાની વાત કરીએ તો તેમા એક સૌથી સારુ એંટી-ઈફ્લેમેટરી ગુણ છે. આ સાંધાના અને ઘૂંટણના દુખાવાથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે.  આ ગઠિયા અને સાંધાના દુખાવાથી પીડિત લોકોને ફાયદો પહોંચાડે છે.  
 
5. આનુ બીટા ગ્લુકોને શરીરમાં ગ્લુકોસના અબ્સૉર્પ્શનને ઓછુ કરે છે જેનાથી બ્લડ શુગર લેવલને બનાવી રાખે છે. આનો મતલબ છે કે જો તમને શુગર છે તો જવનુ પાણી પીવાથી તમારુ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. 
 
6. આ પાણીનું રોજ એક ગ્લાસ સેવન ફાઈબરની જરૂરિયાતને પુર્ણ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments