Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો, સ્વાદિષ્ટ ચટણીમાં પણ હોય છે જરૂરી પોષક તત્વ

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2019 (05:19 IST)
ચટણી અને અથાણાનું નામ સાંભળવા જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ તેની સ્‍વાસ્‍થ્‍ય પર થતી અસર મુદ્દે લોકોમાં ભ્રમ છે. ખાદ્ય વિશેષજ્ઞોના એક રીપોર્ટ અનુસાર ચટણી અને અથાણામાં કેટલાક જરૂરી પોષક તત્વો હોય છે. જે આપણને સ્વસ્થ બનાવે છે.
ટમેટાની ચટણી
ઘરમાં બનેલ ટમેટાની ચટણીમાં લાઈકોપીના નામક એંટીઓકિસડેન્‍ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. કાચા ટમેટાની સરખામણીમાં રાંધેલા ટમેટા છ ગણા વધુ લાઈકોપીન એંટીઓકિસડેન્‍ટ યુકય છે. જે ત્‍વચાને સ્‍વસ્‍થ રાખવામાં મદદ કરે છે અને કેન્‍સરથી બચાવે છે.
 

ફુદીનાની ચટણી
ફુદીનો પેટને ઠંડક આપે છે. આ પાચન તંત્રની માંસપેશીઓ ખૂબજ મસાલાવાળા ભોજનની બળતરાથી રાહત આપે છે અને એસિડીટીથી બચાવે છે. બીજી લીલી શાકભાજીની જેમ ફુદીનો પણ વિટામીન બી-૯નો સારો સ્‍ત્રોત છે. જે કોશિકાઓના નિર્માણમાં મદદરૂપ હોય છે.
મરચાની ચટણી
લીલા મરચા હોય કે લાલ મરચા બન્‍નેમાં વિટામીન સીનું ભરપૂર પ્રમામ હોય છે. ખાંસી અને તાવ જેવી નાની મોટી સ્‍વાસ્‍થ્‍ય સંબંધી તકલીફ ઉપરાંત વિટામીન-સી કેન્‍સર જેવા ખતરનાક રોગથી પણ બચાવે છે. તેનાથી ત્‍વચા રોગમુક્‍ત રહે છે. મરચામા કેટલાક તત્‍વ એવા પણ હોય છે જેના કારણે ઘણીવાર ઈજા થઈ હોય ત્‍યારે ઉપયોગમાં આવતી ડ્રીમમાં તેનો અર્ક ભેળવવામાં આવે છે.
અથાણું
ખાદ્ય વિશેષજ્ઞો અનુસાર, અથાણામાં મેગ્નેશિયમ, કેલ્‍શીયમ, આયરન અને એન્‍ટીઓકિસડેન્‍ટનું પ્રમાણ વધુ હોય છે. જો કે મીઠા અથાણામાં આ વાત હોતી નથી મીઠા અથાણામાં ખાંડનો ઉપયોગ થવાથી કેટલાક પોષક તત્‍વો નષ્‍ટ થઈ જાય છે. ખાટુ અથાણુ પેટ અને આંતરડાના હાનિકારક બેકટેરીયા અને રોગાણુઓને મારી નાખે છે. તેમા ઉપયોગમાં આવતો સરકો વિટામીન સીનો સારો સ્‍ત્રોત છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ

આગળનો લેખ
Show comments