Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં લસણ ખાવાના કમાલના છે ફાયદા.. જાણી લો

Webdunia
શુક્રવાર, 18 મે 2018 (17:54 IST)
લસણ ખાવાના અનેક ફાયદા હોય છે. લસણનો પ્રયોગ લગભગ દરેક ઘરમાં વઘાર લગાવવા માટે થાય છે. આ ઉપરાંત લસણનો ઉપયોગ અનેક પ્રકારની સારવારમાં પણ થાય છે. આયુર્વેદની ભાષામાં લસણને એંટી પાવર કેંસરના નામથી ઓળખવામાં આવે છે. લસણનો સ્વાદ અને ગંધ તીખા હોય છે પણ તેનુ સેવન કરવાના અનેક ફાયદા હોય છે. 
લસણમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને સલ્ફ્યૂરિક એસિડ સહિત અનેક તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે. લસણ એક સારા એંટીબાયોટિકના રૂપમાં પણ ઓળખાય છે. તેના સેવનથી સંક્રમણવાળા રોગ થવાના ચાંસેસ ઓછા થઈ જાય છે. 
 
જાણો લસણના ફાયદા 
 
- હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લસણનુ સેવન લાભકારી હોય છે. 
- સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 
- સરસવના તેલમાં લસણ નાખીને ગરમ કરીને તેની માલિસ કરવાથી શરદી તાવમાં રાહત મળે છે. 
- લસણ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. 
- લસણની 2-3 કળીઓને ગરમ પાણીમાં લીંબૂ સાથે ખાવાથી લોહી સાફ થાય છે. જેનાથી ચેહરા પર દાગ ધબ્બા દૂર થઈ જાય છે. 
- લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી વ્યક્તિ વારેઘડીએ બીમાર થતો નથી. 
- લસણનુ નિયમિત સેવન કરવાથી કેંસર પેદા કરનારા સેલ્સ ખતમ થઈ જાય છે. જેનાથી કેંસર થવાનો ખતરો ઓછો રહે છે. 
- લસણ ખાવાથી દિલ સાથે સંકળાયેલી બીમારી થવાના ચાંસેસ ઓછા રહે છે. 
- વજન ઓછુ કરવા માટે પણ લસણ કારગર છે. લસણને મધ સાથે ખાવાથી જાડાપણુ ઘટે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments