Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો, નહીં તો તમને વારેઘડીએ ટોયલેટ તરફ દોડવું પડશે

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (00:17 IST)
હાઇલાઇટ્સ
- રાત્રે સૂતા પહેલા વધુ પડતા પાણી અથવા પ્રવાહીનું સેવન કરવાથી વારંવાર પેશાબ થઈ શકે છે.
- જો લાંબા સમય સુધી રાત્રે વારંવાર પેશાબની સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
 
Causes of Frequent. At Night: ઘણી વખત તમે આખી રાત શાંતિથી સૂઈ જાઓ છો અને પેશાબને કારણે તમારી ઊંઘમાં ખલેલ પડતો નથી. જ્યારે ઘણી વખત એવું બને છે કે પેશાબ કરવા માટે પ્રેશરને  કારણે તમારે રાત્રે વારંવાર ઉઠવું પડે છે. રાત્રે વારંવાર પેશાબ થવાના ઘણા ચિહ્નો હોઈ શકે છે. કેટલાક લોકોમાં, તે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મૂત્રાશયની સમસ્યાઓ સહિત ઘણી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. જોકે ઘણી વખત
તેના કારણો એકદમ સામાન્ય છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. રાત્રે વારંવાર પેશાબ કરવાની સ્થિતિને નોક્ટુરિયા(Nocturia)  કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. જોકે આનાથી ઓછી વયના લોકોને પણ પરેશાની થઈ શકે છે. 
 
એક રિપોર્ટ અનુસાર, રાત્રે વારંવાર જાગીને પેશાબ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. પ્રથમ મુખ્ય કારણ રાત્રે સૂતા પહેલા વધુ પડતું પાણી અથવા પ્રવાહી પીવું હોઈ શકે છે. જો તમે સાંજથી રાત સુધી પુષ્કળ પાણી પીતા હોવ તો તેની અસર રાત્રે જોવા મળે છે અને તમારે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડી શકે છે. બીજું કારણ સ્લીપ ડિસઓર્ડર હોઈ શકે છે. જો તમને રાત્રે ઉઘ નથી આવતી કે પછી વારેઘડીએ ઊંઘ ખૂલી જાય છે તો   તેના કારણે વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે, તો બેદરકાર ન રહો અને ડૉક્ટરની સલાહ લો.
 
રાત્રે વારંવાર ટોયલેટ જવાનું ત્રીજું મુખ્ય કારણ કેટલીક દવાઓ અથવા યુરીનની સમસ્યા હોઈ શકે છે. આવી ઘણી દવાઓ છે, જેને લેવાથી પેશાબનું ઉત્પાદન વધી જાય છે અને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જો યુરીનમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો વારંવાર પેશાબ પણ જોવા મળે છે. આ સિવાય ઘણી વખત લોકોને રાત્રે વારંવાર જાગવાની અને ટોયલેટ જવાની આદત હોય છે. આ કારણે પણ વારંવાર પેશાબ કરવા જવું પડે છે

Edited by - kalyani deshmukh 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

ધર્મ

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments