Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું ગરમીમાં તમારા હાથ-પગના તળિયામાં પણ બળતરા થાય છે ? તો અપનાવો આ ટીપ્સ

Webdunia
શુક્રવાર, 12 મે 2023 (08:29 IST)
heat in hand and foot
Hands Feet Heat. ઉનાળામાં ઘણા લોકોના હાથ અને પગના તળિયામાંથી આગ નીકળતી હોય એવો સેક લાગે છે. જેને કેટલાક લોકો નાની સમસ્યા સમજીને અવગણના કરે છે.  પણ બતાવી દઈએ કે કેટલીકવાર આ સમસ્યા ઝડપથી સમાપ્ત થાય છે અને કેટલીકવાર તમારે લાંબા સમય સુધી બળતરાનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યામાં ઘણીવાર પગમાં લાલાશ, સોજો અને શરીરનું તાપમાન વધારી દે છે. સામાન્ય થાક અને અતિશય પરિશ્રમ એ પગ બળવાના સૌથી સામાન્ય કારણો છે. પગમાં બળતરા થવાનું બીજું કોઈ કારણ હોઈ શકે છે. જેમ કે વિટામિન બી, ફોલિક એસિડ કે કેલ્શિયમની ઉણપ પણ આનું કારણ હોઈ શકે છે.  ચાલો જાણીએ પગમાં બળતરા થવાના અન્ય કારણો અને બચવાના ઉપાય. 
 
હાથ અને પગમાં બળતરા થવાના કારણો
 
જ્યારે આપણું મુખ્ય તાપમાન ગરમ થાય છે, ત્યારે આપણું શરીર પગ તરફ વધુ લોહી વહેવા દે છે જે મોટેભાગે ઠંડુ હોય ત્યારે થાય છે. લોહીના પ્રવાહમાં થતો આ વધારો આપણા પગને ગરમ કરી શકે છે.  સ્ત્રીઓમાં આ સ્થિતિસામાન્ય છે, ખાસ કરીને મેનોપોઝ દરમિયાન આ સમસ્યા થાય છે. 

પગની બળતરા મટાડવા કરો આ ઉપાય  
 
મહેંદી - મેંદીમાં વિનેગર અથવા લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવીને તળિયા પર લગાવવાથી પગની બળતરા મટે છે.
 
મુલતાની માટી - મુલતાની માટીની પેસ્ટ રોજ લગાવવાથી પગના તળિયાની બળતરા પણ સમાપ્ત થાય છે.
 
હાથ અને પગની મસાજ - રોજ હાથ-પગની માલિશ કરવાથી લોહીનો પ્રવાહ ઝડપી બને  છે, જેના કારણે ન તો પગમાં બળતરા થાય છે કે ન તો દુખાવો થાય છે.
 
સરસવનું તેલ - માત્ર 2 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી સરસવનું તેલ મિક્સ કરો. આ પાણીમાં તમારા પગને થોડીવાર માટે પલાળી રાખો. તેનાથી તમને રાહત મળશે.
 
ઠંડી વસ્તુઓ ખાઓ - તમારા રોજના ડાયેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે ઠંડક આપે. શેરડીનો રસ, દહીં, દાડમ, લસ્સી, કાકડી, તરબૂચ, કેરી, નારિયેળ પાણી, પાલક, તુલસી, લીચી, લીંબુ વગેરેનો સમાવેશ કરો.
 
સેંધાલૂણ - સેંધાલૂણ (રોક સોલ્ટ)  પગમાં બળતરાથી તાત્કાલિક રાહત આપવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ સલ્ફેટમાંથી બનેલું સેંધાલૂણ બળતરા અને પીડા ઘટાડવામાં મદદ કરે છે. આ માટે હુંફાળા પાણીના ટબમાં અડધો કપ રોક મીઠું મિક્સ કરો અને તેમાં તમારા પગ અડધો કલાક પલાળી મૂકો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments