Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના લોકડાઉનમાં શરદી, ખાંસી અને તાવથી બચવાના 10 ઘરેલુ ઉપાય

Webdunia
ગુરુવાર, 16 જુલાઈ 2020 (20:25 IST)
કોરોના વાયરસથી એ લોકોને વધુ જોખમ રહે છે જેમને શરદી-ખાંસી, અસ્થમા વગેરેની ફરિયાદ રહેતી હોય. કોરોના વાયરસ લૉકડાઉન પીરિયડમાં ખુદને શરદી-ખાંસી, કફથી બચાવી રાખવા માટે તમે આ ઘરેલુ 10 નુસ્ખા ટ્રાય કરી શકો છો. જે લોકોને હંમેશા શરદી, ખાંસી, કફ રહેતો હોય તેમને માટે આ લાભકારી છે.  કોરોના લોકડાઉનમાં શરદી, ખાંસી, કફથી બચવા માટે તમે પણ આ 10 ઘરેલું ઉપાયો પણ અજમાવી શકો છો.
 
1. તુલસીના પાન અને મીઠુ - જો તમને શરદી-તાવની ફરિયાદ છે તો તુલસીના પાન સંચળ સાથે ખાવ આવુ નિયમિત કરવાથી તમને જલ્દી આરામ મળશે. 
 
2. હળદરવાળુ દૂધ - જે લોકોને હંમેશા શરદી, ખાંસી, તાવની તકલીફ રહે છે તેમને રાત્રે સૂતા પહેલા હળદરવાળુ દૂધ પીવુ જોઈએ.  હળદરવાળુ દૂધ પીવાથી તમારી શરદી, ખાંસી તાવની તકલીફ પણ ઠીક થઈ જશે અને આરોગ્ય પણ સારુ રહેશે. 
 
3. લીબૂ અને આદુ - જે લોકોને વારંવાર શરદી-તાવ અને ખાંસીની ફરિયાદ રહે છે તેમણે લીંબુનો રસ આદુ સાથે લેવો જોઈએ.  લીંબૂ-આદુનુ રોજ સેવન કરવાથી શરદી-તાવ, ખાંસીની તકલીફથી છુટકારો મળી જાય છે. 
 
4. લસણ - જો તમને હંમેશા શરદી-તાવની જો તકલીફ હોય તો લસણને ઘીમાં શેકી લો અને તેને ગરમ ગરમ ખાઓ. આ કરવાથી તમે શરદી અને કફથી છૂટકારો મેળવો છો  અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
 
5 શેકેલા ચણા - રાતે સૂતા પહેલા શેકેલા ચણા ખાઈને  અને ગરમ દૂધ પીવો. તે શ્વાસની નળી  સાફ કરે છે અને શરદી, ખાંસી અને કફથી રાહત આપે છે
 
6. મસાલા ચા - શરદી, તાવ અને ખાંસીથી રાહત મેળવવા માટે ગરમ ગરમમસાલા ચા પીવો. આ માટે ચામાં આદુ, તુલસી અને કાળા મરી મિક્સ કરો. મસાલા ચા સ્વાદમાં  પણ સારી લાગે છે અને શરદી, તાવ  અને ખાંસીથી પણ રાહત આપે છે.
 
7 કાળા મરી -  બેડ પર જતા પહેલાં  2-3 કાળા મરી ચાવવાથી શરદી, ખાંસી અને લાંબી કફની સમસ્યામાંથી મુક્તિ મળે છે. તુલસીના પાનમાં કાળા મરી નાખીને ખાવાથી શરદી મટે છે.
 
8 ગાજરનુ જ્યુસ - જે લોકોને હંમેશાં ઉધરસ અને શરદી રહે છે, તેઓએ નિયમિતપણે ગાજરનો રસ પીવો જોઈએ. ગાજરનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કફ અને શરદીને મટાડે છે.
 
9 આદુ અને મીઠુ - જો શરદી અને તાવને કારણે ગળું દુખતું હોય તો  આદુને નાના ટુકડામાં કાપીને તેમા મીઠુ મિક્સ કરીને ખાઈ લો.  આવુ કરવાથી શરદી ખાંસી ઠીક થઈ જાય છે અને ગળુ પણ ખુલી જાય છે. 
 
10 ગરમ પાણી અને મીઠાના કોગળા  - શરદી ખાંસીથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમા મીઠુ નાખીને કોગળા કરો. ખાંસી શરદીથી છુટકારો મેળવવાનો આ સૌથી સહેલો ઉપાય ઘરેલુ ઉપચાર છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments