Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ ...

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (11:59 IST)
ભારતની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ-2017 બની છે. ચીનમાં આયોજીત મિસ વર્લ્ડ-2017ની ગ્રૅંડ ફિનાલેમાં ભારત તરફથી ભાગ લઈ રહેલી માનુષી છિલ્લર વિજયી થઈ છે.મિસ વર્લ્ડ 2017 દુનિયાના વિભિન્ન દેશોમાંથી આવેલી 108 જેટલી સુંદરીઓને માત આપીને માનુષીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
 મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, ક્યા ક્ષેત્રમાં સૌથી વધારે પગાર આપવો જોઈએ અને કેમ ? આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હતું કે, માતાને સૌથી વધારે પગાર મળવો જોઈએ અને આ પગારમાં રૂપિયાને બદલે સન્માન અને પ્રેમ મળવો જોઈએ.
1. હરિયાણાના સોનીપતમાં રહેતી માનુષીનો જન્મ 14 મે, 1997એ થયો હતો.
 
2. માનુષી ના પિતા મિત્રવાસુ છિલ્લર અને માઁ નીલમ છિલ્લર વ્યવસાયે ડૉક્ટર છે, 
 
3. 20 વર્ષની માનુષી 67મી મિસ વર્લ્ડ બની છે.તે મેડીકલ સ્ટુડન્ટ છે અને કાર્ડિયાક સર્જન બનવા માગે છે.
 
4. મિસ વર્લ્ડ 2017માં આ વખતે વિશ્વના વિવિધ દેશની 118 સુંદરીઓને પછડાટ આપીને માનુષીએ આ ખિતાબ હાંસલ 
 
5. માનુષીની આંખનો રંગ ભૂરો છે. 5.9 ફૂટની હાઈટ ધરાવતી માનુષીને પેરાગ્લાઈડિંગ, બંજી જંપિંગ અને સ્કૂબા ડાઈવિંગ જેવા સ્પોર્ટસ પસંદ છે.
 
6.  મિસ વર્લ્ડ માનુષી સમાજસેવા સાથે પણ જોડાયેલી છે. તેણે મહિલાઓના પિરિયડ્સ દરમિયાન હાઈજિન સંબંધિત એક કેમ્પેનમાં લગભગ 5000 મહિલાઓને જાગૃત કરવાનું કામ કર્યું છે.
 
7. માનુષીએ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ પણ શીખ્યો છે. તે ઉપરાંત સ્કેચિંગ કરે છે અને પેઈન્ટિંગ પણ બનાવે છે. ઘોડે સવારી પણ તેનો શોખ છે. 
 
8. માનુષી ભારતમાંથી છઠ્ઠી મિસ વર્લ્ડ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather updates- 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હીમાં હીટવેવની ચેતવણી

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર પર ચોમાસાના વરસાદની કેવી અસર થાય છે

ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ પર હુમલો, ૧૧ ભારતીયો સવાર; ભારતે નિવેદન જારી કર્યું

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments