rashifal-2026

Letter Writing- પત્રલેખન કેવી રીતે કરશો

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (12:42 IST)
ટપાલ લખવાની રીત. પત્ર/ટપાલ લેખન-પરિચય.
પત્ર લેખન 
પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો. 
પત્રલેખન કેવી રીતે કરશો 
* પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે 
1. પત્ર લખનારનું સરનામું અને તારીખ
2. સંબોધન 
3. પત્રનો હેતુ અને મુખ્ય વિગત અને 
4. વિદાયવચનો, પૂર્ણાહુતિ અને સહી 
 
* ઉપરોક્ત ચાર ઘટકોમાં પ્રથમ, પત્રની જમણી બાજુ મથાળે પત્ર લખના રે પોતાનું સરનામું તથા તારીખ લખવા, ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચની લીટીમાં ડાબી બાજુ હાંસિયા પાસે, જેને પત્ર લખવાનો હોય તેથી સાથેના સંબંધ મુજબ સંબોધન કરવું. 
* યાદ રહે- વ્યવસાયિક કે ધંધાદારી પત્રો અને અરજીઓમાં, જેને ઉદ્દેશીને પત્ર લખવાનો હોય તેનું પૂરૂં સરનામું, સંબોધનનની ઉપર લખવાનું છે. 
યાદ રહે- પત્રની જમણી બાજુએ તમે લખેલી તારીખની નીચેની લીટીમાં સંબિધને લખવું જરૂરી છે. 
 
* સંબોધન પછી પત્રની વિગત, મુદ્દાઓ પ્રમાણે યોગ્ય ફકરાઓ પાડીને લખવાની રહે છે અને પત્રની વિગત પૂરી થાય પછી એ પછીની લીટીમાં, જમણી બાજુએ, પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચારસૂચક યોગ્ય વિદાયવચન લખીને નીચે સહી કરવાની રહે છે. 
 
* યાદ રહે- પરીક્ષામાં પત્રલેખનના પ્રાશ્નોત્તરમાં પત્ર લખનારાના કલ્પિર નામ સરનામા લખવા, તમારા પોતાના સાચાં નામ સરનામા લખવા નહિ, સામાન્ય રીતે પશ્નપત્રમાં પત્રલેખનનું નામ તથ સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ સરનામું પ્રેષકના સ્થાને લખવું જોઈએ; પોતાનું નામ કે સરનામું નહિ. 
 
* પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો અને પત્રમાં વધુ પડતી આલંકારિક ભાષાનો પ્રયોગ કરવો નહિ. જોડણીશુદ્ધિ જાળવવી અને જરૂરી હોય ત્યાં વિરામચિહ્નનોનો ઉપયોગ કરવો જોઈએ. 
 
* પત્રની મુખ્ય વિગત ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ કરવી. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Career in sports management- T20 વર્લ્ડ કપ જીત્યા પછી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વધી; કોર્સની માહિતી અને પગાર જાણો

ગુજરાતમાં ગરમીનું એલર્ટ, બિહાર સહિત આ 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રાજ્યની પાસપોર્ટ ઓફિસો અને શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી

ગુજરાતમાં કોમર્શિયલ ગેસની ગંભીર અછત: વડોદરા અને સુરત સહિતના શહેરોમાં હાલાકી

CBSE પેપરનો QR કોડ સ્કેન કરવાથી એક YouTube વિડીયો ખુલી, જેનાથી વિદ્યાર્થીઓ ચોંકી ગયા

વધુ જુઓ..

ધર્મ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 11માર્ચ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

આગળનો લેખ
Show comments