Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો સરકારે લગાવ્યો બૈન તો શુ થશે તમારી Cryptocurrency નું ?

Webdunia
બુધવાર, 24 નવેમ્બર 2021 (13:18 IST)
મોદી સરકારે સંસદના શીતકાલીન સત્રમાં ક્રિપ્ટોકરેન્સી પર બિલ લાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિપ્ટોકરેન્સી પર બૈન સંબંધી સમાચાર પછી રોકાણકારોમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે. રોકાણકારોને એ સવાલ સતાવી રહ્યો છે કે સરકાર ક્રિપ્ટોકરેંસી પર બૈન લગાવે છે તો તેનુ શુ થશે ? 
 
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ક્રિપ્ટોકરેન્સીને લઈને ઉત્સાહનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તમામ વેબસાઈટ્સ ક્રિપ્ટોકરેન્સી અને ક્રિપ્ટો એક્સચેંજોની જાહેરાતોથી ભરાયેલી હતી. બિટકૉઈન, ટિથર, ડોગકોઈન વગેરે અનેક ક્રિપ્ટો કરેન્સી લોકોના મોઢા પર ચઢી ગઈ. ઝડપથી લાભ કમાવવાની લાલચમાં મોટી સંખ્યામાં લોકોએ તેમા રોકાણ કર્યુ. 
 
 
ધ ક્રિપ્ટોકરેંસી એંડ રેગુલેશન ઓફ ઓફિશિયલ ડિઝિટલ કરેંસી બિલ 2021 માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા રજુ સત્તાવાર ડિઝિટલ મુદ્રાના સર્જન માટે એક સહાયક માળખાને બનાવવાની વાત કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત ખરડામાં ભારતમાં બધા પ્રકારના ખાનગી ક્રિપ્ટોકરેન્સીને પ્રતિબંધિત કરવાની વાત કરવામાં આવી છે. જો કે તેમા કેટલાક અપવાદ છે. જેથી ક્રિપ્ટોકરેંસી સાથે સંબંધિત પૌદ્યોગિકી અને તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવી શકે. 
 
ભારતમાં હાલ ક્રિપ્ટોકરેંસીના ઉપયોગ સંબંધમાં ન તો કોઈ પ્રતિબંધ છે અને ન તો કોઈ નિયમનની વ્યવસ્થા છે. આ પુષ્ઠભૂમિમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિને ક્રિપ્ટોકરેંસીને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સંકેત આપ્યો હતો કે આ મુદ્દાનો સામનો કરવા માટે સખત વિનિયમન સંબંધી પગલા ઉઠાવવામાં આવશે. 
 
હાલ બધાની નજર એ વાત પર લાગી છે કે મોદી સરકાર ક્રિપ્ટોકરેન્સીને બૈન કરશે કે પછી કેટલાક પ્રતિબંધ સાથે તેમા ટ્રેડિંગની મંજુરી આપશે ? આ બધુ કેટલાક બિલ આવ્યા પછી જ જાણી શકાશે. 
 
શુ થશે પ્રતિબંધોની અસર - આ સવાલ બધાના મનમાં ઉઠી રહ્યો છે કે ક્રિપ્ટોકરેન્સી પર પ્રતિબંધની શુ અસર પડશે. જેરોઘાના સહ સંસ્થાપક નિખિલ કામતે ટ્વિટર પર એક ટ્વિટ કરીને કહ્યુ, જો સરકાર તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરે છે તો ક્રિપ્ટોકરેંસીનુ શુ થશે ?
 
અનેક વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ બિલ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી વધારી શકે છે.  જો સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય્કરે છે  તો બેંક અને તમારા ક્રિપ્ટો એક્સચેંજોની વચ્ચે લેવડ-દેવડ બંધ થઈ જશે.  તમે કોઈ ક્રિપ્ટો ખરીદવા માટે તમારા સ્થાનીક મુદ્રાને પરિવર્તિત નહી કરી શકો. આ સાથે જ તમે તેનો ફાયદો પણ નહી ઉઠાવી શકો. 
 
જો તેને નિયમોના દાયરામાં લાવવામાં આવે છે તો દેશમાં રોકાણકારોમાં તેની લોકપ્રિયતા હજુ વધશે. ક્રિપ્ટો એક્સચેંજોની મદદથી તમે સહેલાઈથી લેવડ-દેવડ કરી શકશો અને સાથે જ અનેક બેંકો સાથે પણ ટ્રાંજેક્શનની સુવિદ્યા મળવા માંડશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કિડનીમાં પથરીનું મુખ્ય કારણ બની શકે છે ખરાબ પાણી, જાણો Kidney Stone નાં અન્ય કારણો શું છે ?

J પરથી મુકવા માંગો છો પુત્ર કે પુત્રીનું નામ તો આ રહ્યા 20 યૂનિક નામ

shr letter Names for baby girl- શ્ર પરથી નામ છોકરી

શું તમને કશું પણ ખાધા પછી ગેસની સમસ્યા થઈ જાય છે? તો તરત ખાઈ લો 6 બીજ

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

વધુ જુઓ..

નવીનતમ

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

આગળનો લેખ
Show comments