Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sukanya Samriddhi Yojana News: સરકારે આપી નવા વર્ષની ભેટ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો

sukanya samruddhi yojna
નવી દિલ્હી. , શનિવાર, 30 ડિસેમ્બર 2023 (15:26 IST)
નવા વર્ષ પહેલા સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં વધારો કરીને સરકારે રોકાણકારોને ભેટ આપી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે, આ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે વ્યાજ દર વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ રોકાણકારોને આ સ્કીમ પર 8 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. જો કે સરકારે અન્ય યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો નથી.
 
સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના સિવાય કોઈપણ યોજનાના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો નથી. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે.
 
બીજી વખત થયો છે વ્યાજદરમાં વધારો 
- આ નાણાકીય વર્ષમાં આ બીજી વખત છે જ્યારે સરકારે આ યોજના માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે.
- પહેલા ક્વાર્ટર દરમિયાન સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 7.6 ટકાથી વધારીને 8 ટકા કર્યો હતો.
- જો આ રીતે જોવામાં આવે તો ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે દીકરીઓ માટેની આ યોજનાના વ્યાજદરમાં .6 ટકાનો વધારો કર્યો છે.
 
ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમના વ્યાજદરમાં પણ વધારો  
સુકન્યા સમૃદ્ધિ યોજનાની સાથે, ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પરનો વર્તમાન વ્યાજ દર સાત ટકાથી વધીને 7.1 ટકા થશે. બીજી તરફ, PPF અને બચત થાપણો પરના વ્યાજ દરો અનુક્રમે 7.1 ટકા અને ચાર ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા છે.
 
કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે અને તેની પાકતી મુદત 115 મહિના છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2024ના સમયગાળા માટે 7.7 ટકા પર યથાવત છે. માસિક આવક યોજના (MIS) માટે વ્યાજ દરમાં (7.4 ટકા) કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હીટ એન્ડ રનના કાયદા વિરૂદ્ધ રાજકોટ અને ભચાઉમાં ટ્રકચાલકો વિફર્યા, પોલીસનો હળવો બળપ્રયોગ