Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંત્રી સૌરભ પટેલના ઊર્જા વિભાગમાં પોલંપોલ, ૧,૪૬,૫૦૦ કરોડના MOU થયા પણ રોકાણ શૂન્ય

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (12:24 IST)
ઉદ્યોગો થકી ગુજરાતને વિકાસશીલ બનાવવા યોજવામાં આવતી ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ વિવિધ ક્ષેત્રમાં કરોડો રૃપિયાનુ મૂડીરોકાણ થશે તેવી મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે. વાસ્તવમાં ભાજપના શાસનમાં વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન કરાયેલાં મૂડીરોકાણ અને રોજગારીના દાવાની અસલીયતનો પોલ ઉઘાડી પડી છે. વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૦૯માં ઉર્જાક્ષેત્રમાં રૃા.૧,૪૬,૫૦૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતાં પણ દસ વર્ષ વિત્યા છતાંયે એકેય પાવર પ્રોજેક્ટ સ્થપાયો નથી.

ઉર્જામંત્રી સૌરભ દલાલ પહેલેથી વિવાદમાં રહ્યાં છે.અગાઉ પણ તેમને ખાણ ખનિજ,ઉર્જા વિભાગની બાગદોર સોંપવામાં આવી હતી ત્યારે ગેરરીતીઓનો દોર ચાલ્યો હતો. આ કારણોસર તેમને થોડાક વખતે હાઇકમાન્ડે રૃખસત આપી હતી. ફરી એકવાર તેમને આ જ વિભાગ સોંપાયો છે ત્યારે ઉર્જા વિભાગમાં કેટલી પોલંપોલ ચાલે છે અને વાયબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ થકી કેવા ગપગોળા છોડી વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે તેનો આજે વિધાનસભામાં પર્દાફાશ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના એવી હકીકત બહાર આવી કે, મૂડીપતિઓને લાભ થાય તેવી ભાજપની નીતિ રહી છે. વર્ષ ૨૦૦૭,વર્ષ ૨૦૦૯માં ૨૭,૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાના વચન સાથે અદાણી પાવર લિ,યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝ લિ,ટોરેન્ટ પાવર લિ,અદાણી પાવર વીજ યોજના સહિતની કંપનીઓએ એમઓયુ કર્યા હતાં પણ આ કંપનીઓએ આજે દર્ષ વર્ષ બાદ પણ એક કાણીપાઇનું મૂડીરોકાણ કર્યુ નહી. સરકારે એવી કબૂલાત કરી ેકે,એમઓયુ કરનાર કંપનીઓને હવે પ્લાન્ટ શરૃ કરવામાં રસ નથી.ટોરેન્ટ પાવરે તો પ્રોજેક્ટ જ રદ કરવા ભલામણ કરી દીધી છે.આમ, વાયબ્રન્ટ ગુજરાત વખતે ૨૭,૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પાદનની વાતો કરનાર ભાજપ સરકાર એક મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકી નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments