Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રીના પર્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Webdunia
શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (20:29 IST)
આજે મહાશિવરાત્રીના પર્વને લઈને સોમનાથ મહાદેવ ખાતે લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન શીવના દર્શન કર્યા હતાં. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતાં.તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને મહાદેવનો અભિષેક પણ કર્યો હતો. 
ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરાયુ
સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.
પૂર્વ  મુખ્યમંત્રી રુપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યાં
સોમનાથ મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સામાન્ય નાગરિકોની સાથે નેતાઓ પણ આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ દર્શનનો લાભ લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ગુજરાત ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ

આગળનો લેખ
Show comments