Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંઘવારીઃ ઝાલાવાડી ચુડા અને વઢવાણી મરચાંના ભાવમાં વધારો

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (11:43 IST)
ઝાલાવાડમાં ચુડા અને વઢવાણી મરચાંઓ દેશ વિદેશમાં વખણાય છે આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તિખાશ આંખમાં અવશ્ય પાણી લાવી દેશે. ઝાલાવાડમાં માર્ચ માસના પ્રારંભે લાલ મરચાંના વેચાણનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ગૃહિણીઓ મરચાંની ખરીદી મોટા પાયે કરે છે. આથી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂ્ક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તિખાશ આંખમાં અવશ્ય પાણી લાવી દેશે. બીજીતરફ ખેડૂતોએ ખેતરોમાંથી મરચાંની કાપણી કરી વેપારીઓને વેચાણ માટે આપી દીધા છે. જેમાં ચુડાના અને અન્ય મરચાંઓનું વેચાણ ગુજરાત બહાર પણ શરૂ થઈ ગયુ છે. ચુડાના સિકંદરભાઈ તેમજ ઈરફાનભાઈએ જણાવ્યું કે, આ વર્ષે વરસાદે દગો આપ્યો છે. આથી મરચાનાં ભાવમાં ઉછાળો આવ્યો છે. સારી ગુણવત્તાવાળા મરચાના ભાવો ડબલ ગણો વધારો થયો છે. જ્યારે અન્ય મરચાંના ભાવો ૩૦ થી ૫૦ ટકા વધ્યા છે. જ્યારે હંસાબેન, લીલાબેન વગેરે ગૃહિણીએ જણાવ્યુ કે, ભાવના લીધે ઓછાં જથ્થામાં પણ મરચાંની ખરીદી કરવી પડશે. જિલ્લામાં વેપારીઓ વિવિધ મરચાઓને ઘંટીઓમાં દળીને ગૃહિણીઓને તૈયાર માલ વેંચે છે. આ ઉપરાંત બહાર મોટા જથ્થામાં દળેલું મરચું પેકીંગ કરી મોકલવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments