Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBI Monetary Policy: લોનની EMI માં નહી મળી રાહત, MSME અને બીજા સેક્ટર માટે કર્યા મોટા એલાન

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (12:21 IST)
કોવિડ -19 થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે નરમ મૌદ્રિક નીતિ કાયમ રાખવાનો વિશ્વાસ આપતા  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે પોતાનો પોલીસી રેટ રેપો રેટને 4% ના વર્તમાન સ્તર પર સ્થિર રાખ્યો છે. 
 
આરબીઆઈએ કોવિડ-19ની બીજી લહેર અને તેનો સામનો કરવા માટે રાજ્યોમાં લગાવેલ લોકડાઉન અને કરફ્યુ વચ્ચે ચાલુ નાણકીય વર્ષ 2021-22ની આર્થિક વૃદ્ધિનો પોતાના અનુમાન પહેલાના 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી નાખ્યો. 
 
આ સતત છઠ્ઠી સમીક્ષા છે જેમાં કેન્દ્રીય બેંકે તેના એક દિવસીય ઉધારનો વ્યાજ દર- રેપો રેટ (જે 4 ટકા છે)અને રિવર્સ રેપો રેટ (જે 3.35 ટકા છે) તેમાં કોઈ ફેરફાર કર્યો નથી 
 
રેપો દર એ દર હોય છે જેના પર રિઝર્વ બેંક બીજા વાણિજ્યક બેંકો (કોમર્શિયલ બેંક)ને અલ્પ સમય માટે રોકડ કે કર્જ ઉપલબ્ધ કરાવે છે. 
 
આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક પછી રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે  શુક્રવારે કહ્યું કે મુખ્ય વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે અને આર્થિક વિકાસને વેગ આપવા માટે  નાણાકીય નીતિમાં નરમ વલણ કાયમ રહેશે. 
 
તેમણે કહ્યું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસની આગાહીને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી દીધો છે. દાસે કહ્યું કે સામાન્ય ચોમાસુ સામાન્ય રહેવાથી આર્થિક વિકાસમાં મદદ મળશે.
 
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પહેલી ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થામાં 18.5 ટકા, બીજી ત્રિમાસિકમાં 7,9 ટકા, ત્રીજી ત્રિમાસિકમાં 7.2 ટકા અને ચોથી ત્રિમાસિકમાં 6.6 ટકાબા દરથી વૃદ્ધિ થઈ શકે છે. 
 
આરબીઆઈ 17 જૂને 40,000 કરોડ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે. ઉપરાંત, બીજા ક્વાર્ટરમાં 1.20 લાખ કરોડ રૂપિયાની સિક્યોરિટીઝ ખરીદવામાં આવશે.
 
રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે અમારો અંદાજ છે કે દેશના વિદેશી વિનિમય ભંડાર 600 અબજ ડોલરથી ઉપર ગયો  છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments