Publish Date: Thu, 05 Sep 2024 (18:27 IST)
Updated Date: Thu, 05 Sep 2024 (18:30 IST)
કેન્દ્ર સરકારે દિલ્હી-NCRમાં સસ્તા દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. આ ઓનિયન મોબાઈલ વાન અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ (NCCF) દુકાનોમાંથી વેચાઈ રહી છે.
અહીં તમે 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી શકો છો.
સરકાર ડુંગળી કેમ વેચી રહી છે?
છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે સરકારે ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે. ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે તેમણે નિકાસ પર પણ થોડા સમય માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સરકાર ડુંગળી વેચીને વચેટિયાઓની નફાખોરી રોકવા માંગે છે, જેથી ગ્રાહકોને રાહત મળે.