Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી ટાંણે જ ધાંધિયા, મિલરોએ સિંગતેલ એક ડબ્બે સવાસો રૂપિયા મોંઘુ કરી દીધું

Webdunia
ગુરુવાર, 1 નવેમ્બર 2018 (18:14 IST)
સિંગતેલમાં આજે વધુ રૂ।.૧૦ના વધારા સાથે પખવાડિયામાં આશરે રૂ।.૧૫૦નો ભાવવધારો ઝીંકી દેવાતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની ભાજપ સરકારના પ્રધાનની હાજરીમાં મળેલી બેઠકમાં મગફળીનો કૃષિપાક ૪૮ ટકા થશે તેવા અંદાજો જાહેર કરાયા હતા અને હવે તેલના ભાવ પખવાડિયામાં જ રૂ।.૧૨૫થી ૧૫૦ જેટલા વધારી દેવાયા છે. તેલની ખરીદી ટાણે આરંભમાં જ ઉંચા ભાવથી લોકોમાં નારાજગી પ્રસરી છે.
મગફળીના ભાવ ગત વર્ષે ગગડી જતા તેનું વાવેતર નજીવા પ્રમાણમાં ઘટયું હતું અને આ પાક હાલ બજારમાં આવી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં મગફળીની આવક સામે વેચાણ નહીં થતા આવક વારંવાર બંધ કરવી પડે છે. તો બીજી તરફ ખેડૂતોને કપાસની જેમ યાર્ડમાં મગફળી પ્રતિ મણ દીઠ રૂ।.૬૭૦થી ૯૭૦ અને જીણી મગફળી રૂ।.૮૬૦થી ૧૦૨૫ના ભાવ આજે નોંધાયા છે. આ પહેલા તેનાથી નીચા ભાવ રહ્યા છે, આમ મગફળીના ભાવ કપાસની સાપેક્ષે ઉંચા રહ્યા નથી.
છતાં મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં કૂદકેને ભુસકે વધારો ઝીંકી દેવાયો છે. વેપારી સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર પખવાડિયા પહેલા રૂ।.૧૫૫૦માં તેલનો ડબ્બો આપતા તે આજે રૂ।.૧૬૯૦ સુધી ભાવ પહોંચ્યો હતો. મહત્વની વાત એ છે કે ટેકાના ભાવે સરકારે લાખો ટન મગફળી ખરીદ્યા પછી તે મિલરોને તદ્દન નીચા ભાવે વેચી છે. આ વેચાણ હજુ હમણાં સુધી થતું રહ્યું છે. તો પછી આ મગફળીમાંથી નીકળતા તેલનો ભાવ ગરીબ-મધ્યમવર્ગનું તેલ નીકળી જાય એટલી ઝડપે કેમ વધી રહ્યો છે તે સવાલ છે. સરકાર આ મુદ્દે હજુ મૌન સેવી રહી છે, દિવાળી પૂર્વે તેલના ભાવમાં ઘટાડો થાય તેવી લોકમાંગ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments