Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 46% નો વધારો, પણ વસુલાત ટાર્ગેટના 67.5% થઈ

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (14:11 IST)
નોટબંધીના એક વર્ષ અને જીએસટી લાગુ થયાના છ માસ બાદ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા 46% વધી છે, તેમ છતાં આવકવેરા વિભાગ વર્ષ 2017-18ના નાણાકીય વર્ષ માટે રૂા.46,868 કરોડના ટાર્ગેટ સામે પ્રથમ નવ માસમાં 31,618 કરોડ (67.5%) વસુલ કરી શકયો છે. વિભાગે ગત વર્ષે પણ ત્રીજા કવાર્ટરના અંતે રૂા.39,901 કરોડના લક્ષ્યાંક સામે રૂા.27,124 કરોડ (67.97%) મેળવ્યા હતા, એ જોતાં વસુલાતમાં કોઈ વધારો જોવા મળ્યો નથી.

આવકવેરા અધિકારીઓના જણાવ્યા મુજબ 2016-17માં તેમણે રૂા.39,901 કરોડની વસુલાત કરી હતી,અને ચાલુ વર્ષે પણ એટલી વસુલાત થવાની આશા છે. જોકે નવેમ્બર 2017 સુધીમાં કરદાતાઓની સંખ્યા 43% વધી છે. નવેમ્બર 2016માં 31.72 લાખ એસેસીઝ હતા તેમાં 13.6% વધારો થયો છે.નવેમ્બર 2017 સુધીમાં વિમાને 38 રેગ્યુલેટર સર્વે હાથ ધરી રૂા.29.44 કરોડની છૂપાયેલી આવક શોધી કાઢી હતી. વિભાગે 3.9 સર્વેમાં રૂા.4.8 કરોડની વસુલાત કરી હતી. ટીડીએસ ડિફોલ્ટરોને શોધ કાઢવા વિભાગે 62 સર્વે કર્યા હતા અને તેમની પાસેથી રૂા.29.55 કરોડ વસુલ્યા હતા. એ સિવાય, બેનામી પ્રોપર્ટી યુનિટે ગુજરાતભરમાં રૂા.19.07 કરોડની 83 પ્રોપર્ટી ટોચમાં લીધી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments