Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રથયાત્રાના દિવસે 158 કરોડના વાહનો વેચાયા

Webdunia
સોમવાર, 26 જૂન 2017 (15:06 IST)
રથયાત્રાના દિવસે નવા વાહનો સહિત નવી વસ્તુઓ ખરીદવાની શહેરીજનોમાં માન્યતા છે.  આ વર્ષે પણ રથયાત્રાના દિવસે  વાહનોનું ધૂમ વેચાણ થયું હતું. રથયાત્રાના દિવસે 158 કરોડથી વધુ કિંમતના નવા ટૂ વ્હીલર અને કારનું વેચાણ થયું હતું. ડીલરોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રથયાત્રાના દિવસે અંદાજે 4000 જેટલા નવા ટૂ વ્હીલરનું વેચાણ થયું હતું. બાઇકની એવરેજ કિંમત રૂપિયા 65 હજાર ગણીએ તો અંદાજે 26 કરોડના ટૂ વ્હીલર વાહનો વેચાયા હોવાનું મનાય છે. જ્યારે ઓછી અને વધુ કિંમતની મળી અંદાજે  2200 જેટલી કારો વેચાઇ હતી. 

રથયાત્રાના દિવસે પણ ટૂ વ્હીલર અને કારમાં ડિસ્કાઉન્ટની સ્કીમ અને કેટલાક ડીલરોએ ઇન્સ્યોરન્સથી લઇ એસસરીઝ સુધીનો લાભ આપ્યો હતો.   બીજીતરફ આરટીઓમાં વાહન-4 સોફ્ટવેર આવ્યા બાદ સમગ્ર સિસ્ટમ બદલાઇ ગઇ છે. જો કે હાલ વાહનનું વેચાણ તો થઇ ગયું છે. પરંતુ હજી રથયાત્રા અગાઉના ફોર્મની એન્ટ્રીઓ બાકી હોવાથી આજની છ હજારથી વધુ વાહનોની એન્ટ્રીઓ ક્યારે થશે, તેને લઇને પણ ડીલરોમાં ચિંતા છે. આરસીબુકનો વધુ બેકલોગ પણ ઊભો છે. જો કે તહેવારોમાં ડીલરોએ નવા વાહનોનું વેચાણ કરી લીધું છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments