Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાગરદાણ કૌભાંડમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 20 સામે ચાર્જફ્રેમ

Webdunia
શનિવાર, 19 ઑક્ટોબર 2019 (12:13 IST)
મહેસાણા દૂધ સાગર ડેરીના રૂ 22.50 કરોડના સાગરદાણ કેસમાં મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશીયલ કોર્ટે શુક્રવારે 5 વર્ષ બાદ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 20 હોદ્દેદારો સામે આરોપનામુ ઘડતા સમગ્ર કેસ પુન: ચર્ચાસ્પદ બન્યો છે.

બહુચર્ચિત આ કેસમા બે કથિત આરોપીઓનુ ચાલુ ટ્રાયલ દરમિયાનનુ મૃત્યુ થતા કોર્ટે તેમને તહોમતનામા માંથી બાકાત રાખ્યા હતા.સરકારી વકીલ વિજય બારોટે જણાવેલ કે, મહેસાણા એડિશનલ ચીફ જ્યુડિશીયલ કોર્ટે 20 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કર્યુ છે અને કોર્ટે તેની છેલ્લી લાઇનમા હું આદેશ કરૂ છુ કે,સદરહુ તહોમત માટે ન્યાયલ તરફથી તમારા પર કામ ચલાવવામા આવે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જ્યારે બીજીબાજુ આરોપીઓના વકીલ આર.એન. બારોટે જણાવેલ કે, ચાર્જફ્રેમ માટે સીઆરપીસી 240 (2) મુજબ આરોપીઓને કોર્ટમા હાજર રાખી તેમનો જવાબ અને સહી લીધા બાદ જ ચાર્જફ્રેમ થાય.

કોર્ટે આ માત્ર તહોમતનામુ તૈયાર કર્યાનુ કહી શકાય.દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી,ચીફ જનરલ મેનેજર રશ્મીકાંત મોદી, નિશીથ બક્ષી, જલાબેન દેસાઇ સહિત 20 હોદ્દેદારો સામે તહોમતનામુ ફરમાવ્યુ હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments