Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરભ પટેલના ઉર્જા વિભાગનો વાઇબ્રન્ટ વહીવટ - સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટયું, ખાનગી કંપનીઓનું વધ્યું

Webdunia
સોમવાર, 26 માર્ચ 2018 (11:45 IST)
રાજ્ય ઉર્જાવિભાગમાં સરકાર હસ્તકની વીજકંપનીઓએ જાણે લાખના બાર હજાર કર્યાં છે. મંત્રી સૌરભ પટેલના ઉર્જા વિભાગમાં એવો વાયબ્રન્ટ વહીવટ ચાલી રહ્યો છેકે, રાજ્ય સરકારની વિજ કંપનીઓનુ વિજ ઉત્પાદન દિવસે ને દિવસે ઘટી રહ્યુ છે જયારે ખાનગી વિજ કંપનીઓનું વિજ ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો છે.વિજ કંપનીઓની પ્રોત્સાહન આપી કમાણી કરાવી આપવાની ઉર્જા વિભાગની નીતિ હવે ખુલ્લી પડ રહી છે. એક રિપોર્ટ અનુસાર,વર્ષ ૨૦૦૯-૧૦માં GSECLનું વિજ ઉત્પાદન ૨૮,૫૦૭ મિલિયન યુનિટ હતુ જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને હવે ૧૬૨૫૪ મિલિયન યુનિટ થયુ છે. બીજી તરફ, ખાનગી વિજ કંપનીઓનું વર્ષ ૨૦૦૯-૧૦માં ૨૮૦૪૨ મિલિયન યુનિટ વિજ ઉત્પાદન હતુ તે વધીને હવે ૬૦૫૩૦ મિલિયન યુનિટ થયુ છે. આ તરફ,કેન્દ્રનો હિસ્સો પણ ૧૩૩૩૪ મિલિયન યુનિટ હતો તે પણ વધીને ૨૭૫૦૦ મિલિયન યુનિટ થયો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં રાજ્યનુ કુલ વિજ ઉત્પાદન ૬૯૮૮૩ મિલિયન યુનિટ હતુ જેમાં ૪૦.૪૯ ટકા રાજ્ય સરકાર હસ્તકની વિજ કંપનીઓમાં વિજ ઉત્પાદિત થયુ હતુ. વર્ષ ૨૦૧૬-૧૭માં રાજ્યનુ કુલ વિજ ઉત્પાદન ૧૦૪૨૮૪ મિલિયન યુનિટ થયુ હતુ જે પૈકી ૫૮.૦૪ ટકા વિજ ઉત્પાદન ખાનગી વિજ કંપનીઓમાં થયુ છે જયારે ૧૫.૫૯ ટકા વિજ ઉત્પાદન સરકાહ હસ્તકની વિજ કંપનીઓમાં થયુ છે. ૨૬.૩૭ ટકા વિજ ઉત્પાદનનો હિસ્સો કેન્દ્રીય ક્ષેત્રનો રહ્યો છે. આમ,ખાનગી વિજ કંપનીઓ ઉત્પાદન વધારી રહી છે પણ રાજ્ય સરકાર હસ્તકની વિજ કંપનીઓમાં વિજ ઉત્પાદન ઘટી રહ્યુ છે છતાંય સરકાર ઉર્જા વિકાસના ગાણાં ગાઇ રહી છે. સરકારી વિજ કંપનીઓમાં ઉત્પાદન ઘટે તો જ ખાનગી કંપનીઓ પાસેથી વિજળી વેચાતી લઇ શકાય તેવી સરકારની ગણતરી છે.જો આ જ સ્થિતી રહી તો,સરકાર હસ્તકની વિજકંપનીઓને ખંભાતી તાળા વાગશે જયારે ખાનગી વિજ કંપનીઓને સરકારને મોંઘી વિજળી વેચીને બખ્ખાં કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments