Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતીઓએ ચાર મહિનામાં 18000 કરોડનું કાળું નાણું જાહેર કર્યું: RTI

Webdunia
મંગળવાર, 2 ઑક્ટોબર 2018 (13:59 IST)
કેન્દ્ર સરકારની ઈન્કમ ડિકલેરેશન સ્કીમ (IDS) અંતર્ગત ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૬માં ચાર મહિના દરમિયાન ૧૮૦૦૦ રૂપિયાનું કાળુ નાણું જાહેર કર્યું હતું. જૂન અને સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયeન નોટબંધીનાં પહેલા આ કાળા નાણાં વિશે ઈન્કમ ડિકલેરેશન સ્કીમ (IDS) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 

પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા ૧૩૮૬૦ કરોડ રૂપિયાની ગેરકાયદેસર નાણાનો ખુલાસો કરાયા બાદ તેમજ નોટબંધી પહેલા આ મુદ્દે સ્પષ્ટતા થઈ ગઈ હતી. એક આરટીઆઈનો જવાબ આપતા આયકર વિભાગે જણાવ્યુ કે, ગુજરાકમાં આઈડીએસ અંતર્ગત જૂન ૨૦૧૬થી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન ૧૮૦૦૦ રૂપિયાનાં કાળાનાણાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલ ૬૫૨૫૦ કરોડ રૂપિયાનાં ૨૯ ટકા જેટલો ભાગ થાય છે. 

આ આરટીઆઈનો જવાબ લગભગ બે વર્ષ પછી મળ્યો છે. અમદાવાદનાં પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા આઈડીએસ અંતર્ગત ૧૩૮૬૦ કરોડનાં કાળા નાણાંની જાહેરાત કર્યા બાદ ભારતસિંહ ઝાલા નામનાં વ્યક્તિએ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ આરટીઆઈ અંતર્ગત જાણકારી માંગી હતી. જો કે, પહેલા ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણી વખતે ગડબડ થયા બાદ મહેશ શાહનું આઈડીએસ રદ કરવામાં આવ્યું હતું. 

જો કે, ઈન્કમ ટેક્સ વિભાગે હાલમાં નેતાઓ, પોલીસ અધિકારીઓ તથા બ્યુરોક્રેટ્સ દ્વારા જાહેર કરાયેલ કાળાનાણા પર મૌન સાધ્યું છે. બે વર્ષના સંઘર્ષ બાદ આ અંગેની જાણકારી સામે આવી છે. ભારતસિંહ ઝાલાએ જણાવ્યું કે, ‘પહેલા મારા આ પ્રકારનાં આવેદનોને આમ-તેમ કરીને ફગાવી દેવાયા હતાં. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગે ગુજરાતી ભાષામાં આવેદનનો હવાલો આપતા જાણકારી આપવાની ના પાડી દીધી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments