Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 રૂપિયા સુધી સસ્તુ થઈ જશે ખાવાનુ તેલ, મોદી સરકારના આ નિર્ણયની અસર

Webdunia
ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (18:17 IST)
છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલના મોંઘવારીએ સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. આ પગલા બાદ ખાદ્ય તેલ 15 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે.
 
સરકારનું પગલું શું છે: સરકારે પામ, સોયાબીન અને સૂરજમુખી તેલની ક્રૂડ જાતો પરની મૂળ કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે અને રિફાઈન્ડ ખાદ્ય તેલ પર પણ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. આ પગલાથી તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલના ભાવ ઘટાડવામાં મદદ મળશે અને ગ્રાહકોને રાહત મળશે.
 
ભાવ કેટલો ઘટશે ?  ખાદ્ય તેલ ઉદ્યોગ સંસ્થા સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એસઈએ) એ કહ્યું કે આનાથી આસમાન પર પહોંચેલા ખાદ્યતેલોના ભાવ પ્રતિ લિટર 15 રૂપિયા સુધી ઘટી શકે છે. એસઈએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીવી મહેતાએ જણાવ્યું  કે, "આ ડ્યૂટી કપાતના નિર્ણય બાદ રિફાઈન્ડ પામ ઓઈલના રિટેલ ભાવ 8-9 રૂપિયા પ્રતિ લિટર ઘટી શકે છે, જ્યારે રિફાઈન્ડ સૂર્યમુખી અને સોયાબીન તેલ 12-15 રૂપિયા પ્રતિ લિટર ઘટી શકે છે. ઘટી શકે છે.
 
આ નુકશાન હોઈ શકે છે: જોકે, બીવી મહેતાએ કહ્યું કે આ નિર્ણય માટે આ સમય યોગ્ય નથી, કારણ કે તેનાથી ખેડૂતોની આવક પર અસર પડી શકે છે. મહેતાએ કહ્યું, “સોયાબીન અને મગફળીની લણણી શરૂ થઈ ગઈ છે. આયાત ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય બજારમાં ભાવ ઘટાડી શકે છે અને ખેડૂતોને કિમંત ઓછી મળી શકે છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે ભારત તેની આયાત ડ્યૂટી ઘટાડે તો આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થાય છે.
 
સરેરાશ છૂટક ભાવ: ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, આ વર્ષે 9 ઓક્ટોબરે સોયા તેલની સરેરાશ છૂટક કિંમત 154.95 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 106 રૂપિયા પ્રતિ કિલો કરતાં 46.15 ટકા વધારે છે. એ જ રીતે, સરસવ તેલની સરેરાશ કિંમત અગાઉ 129.19 રૂપિયા પ્રતિ કિલોથી 43 ટકા વધીને 184.43 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી, જ્યારે શાકભાજીનો ભાવ 43 ટકા વધીને 136.74 રૂપિયા પ્રતિ કિલો થયો હતો જે અગાઉ 95.5 રૂપિયા પ્રતિ કિલો હતો.
 
સૂરજમુખીના મામલે તેની સરેરાશ છૂટક કિંમત આ વર્ષે 9 ઓક્ટોબરે 38.48 ટકા વધીને 170.09 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જે અગાઉના સમયગાળામાં 122.82 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે પામ તેલની કિંમત 38 ટકા વધીને 132.06 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી. જે અગાઉ 95.68 રૂપિયા પ્રતિ કિલો હતી.
 
ક્યાંથી થાય છે  આયાત : ઇન્ડોનેશિયા અને મલેશિયા ભારતને RBD પામોલિન અને ક્રૂડ પામ ઓઇલનો મુખ્ય સપ્લાયર છે. આ દેશ મુખ્યત્વે આર્જેન્ટિનાથી ક્રૂડ સોયાબીન આયાત કરે છે, ત્યારબાદ બ્રાઝિલ, જ્યારે ક્રૂડ સૂર્યમુખી તેલ મુખ્યત્વે યુક્રેનથી આયાત કરે છે, ત્યારબાદ રશિયા અને આર્જેન્ટિના આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments