Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beware of Cyber Crime - વધી રહ્યા છે ફ્રોડના કેસ, એક SMS ખાલી કરી શકે છે બેન્ક એકાઉન્ટ

Webdunia
શનિવાર, 5 માર્ચ 2022 (12:19 IST)
કોરોનાકાળથી દેશમાં બેન્ક ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવુ લાગે છે કે ઘરે બેસીને કેટલાક લોકોએ પોતાનુ મગજ ફ્રોડ કરવા તરફ વધારે સક્રિય કર્યુ છે. દરેક કામ ઈઝી બનાવવાના ચક્કરમાં ઓનલાઈન ટ્રાંજેક્શન ઘણી વખત આપણને અજાણતા કોઈ મોટી મુસીબતમાં પણ નાખી શકે છે. 
 
કેટલાક શાતિર મગજની ટોળકીઓ આવા જ કામ કરે છે. સાઈબર ફ્રોડ લોકોને પોતાના ઝાંસામાં ફસાવીને બેન્ક એકાઉન્ટને અમુક જ મિનિટોમાં ખાલી કરી દે છે. તેમાં સાઈબર અપરાધી અલગ અલગ પ્રકારની રીતોનો ઉપયોગ કરે છે. તેમાંથી એક રીત છે સ્મિશિંગ. તેમાં ફ્રોડ એક SMS દ્વારા તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આવો તેને ડિટેલ્સમાં જાણીએ કે સ્મિશિંગ શું હોય છે અને તમે તેનાથી કઈ રીતે બચી શકો છો. 
 
સ્મિશિંગ શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે SMS અને ફિસિંગનો મેળ હોય છે. ફિશિંગ એટલે કે તમારી જાણકારી ચોરી કરવા માટે ઈમલ કરે છે. દેશભરમાં લોકોને આવા મેસેજ મળે છે જેમાં દાવો કરવામાં આવે છે કે તમારા એકાઉન્ટ કંઈક ગડબડી છે અને તેને અપડેટ કરવાની જરૂર છે. તેમને કોઈ નવા પ્રોગ્રામ માટે રજીસ્ટર કરવા માટે પણ કહેવામાં આવે છે. મેસેજમાં લિંક અને ટોલ-ફ્રી નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા વ્યક્તિની સાથે બેન્ક ફ્રોડ કરવામાં આવે છે. 
 
આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
 
- સૌથી પહેલા આ વાતનું ધ્યાન રાખો કે સેલ ફોન્સમાં વાયરલ આવી શકે છે. માટે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મળેલી લિંક પર ક્લિક ન કરો. 
- તે ઉપરાંત ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પોતાની નાણાકીય અથવા ખાનગી જાણકારી શેર ન કરો. 
- આ સાથે જ બેન્કને શંકાસ્પદ ઈમેલ વિશે સુચના આપો. જેમાં તમારૂ નામ અને લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. 
આ ઉપરાંત નિયમિત રીતે પોતાના બેન્ક એકાઉન્ટને ચેક કરો. જેથી કોઈ ફ્રોડ અથવા અનઓફિશ્યલ રીતે એકાઉન્ટ સુધી પહોંચવા માટે પકડી શકાય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments