Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Tips- ચોમાસામાં કપડાં સુકાવાની ટિપ્સ

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2023 (14:25 IST)
Tips for drying clothes in Monsoon- ચોમાસામાં કપડામાંથી દુર્ગધ દૂર કરવી છે, તો અપનાવો આ 8 ટિપ્સ
 
ચોમાસામાં કપડાં સુકાવાની ટિપ્સ- ચોમાસાની ઋતુમાં મોટેભાગે ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે. અનેકવાર તો કપડા પર સફેદ દગ પણ પડી જાય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. આવામાં કપડાને પહેરવાની ઈચ્છા પન થતી નથી પણ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે જે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે.  જો તમે પણ માનસૂન સીઝનમાં કપડામાંથી આવતી દુર્ગંધને લીધે પરેશાન છો તો આ ટિપ્સની મદદથી તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. 
 
 
ચોમાસામાં કપડામાંથી આવતી વાસને દૂર કરવા માટેની ટિપ્સ 
 
1. તિજોરીમાં કપડા મુકતા પહેલા તેને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. ત્યારબાદ કપૂરના પાણીથી તિજોરીને સ્વચ્છ કરો અને સૂકાવવા માટે છોડી દો. અલમારી સૂકાયા પછી તેમા કપડા મુકી દો. આવુ કરવાથી કપડામાં ભેજની વાસ નહી આવે. 
 
2. ચોમાસાની ઋતુમાં તાપમાં ન નીકળવાને કારણે કપડા સારી રીતે સુકાતા નથી. જેને કારણે તેમાથી દુર્ગંધ આવવા માંડે છે. આવામાં તમે કપડાને ધોતા પહેલા સારી રીતે નીચોવી લો. ત્યારબાદ સૂકવા માટે નાખો અને સારી રીતે હવામાં ટાંગો. 
 
3. મોંધા અને કિમતી કપડાને તિજોરીમાં મુકતા પહેલા વૈક્સ પેપર કે પ્લાસ્ટિક પેપરમાં લપેટીને મુકી દો. આવુ કરવાથી કપડા તિજોરીના સંપર્કમાં નહી આવે અને ખરાબ થતા બચી જશે. 
 
4. ઘણીવાર કપડા ઠંડા-ભીના હોય છતા પણ તેને કબાટમાં મુકી દેવામાં આવે છે પણ તેનાથી કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે.  તેથી કપડાને સારી રીતે સૂકાયા પછી જ કબાટમાં મુકો. 
5. અઠવાડિયામાં એકવાર કબાટને જરૂર સાફ કરો. તેનાથી હવા કબાટમાં જશે અને ભેજની સમસ્યા નહી થાય. 
 
6. કપડાની દુર્ગંધ દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થાલીનની ગોળીઓ પણ મુકી શકો છો. તેનો ઉપયોગ કપડામાં આવનારી દુર્ગંધને દૂર રાખે છે. 
 
7. તમે કપડાને પ્લાસ્ટિક બેગને બદલે છાપામાં લપેટીને પણ મુકી શકો છો. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર કપડાને તાપમાં જરૂર મુકો. 
 
8. રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 
Edited By Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments