Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદમાં કેવી રીતે કરશો વાળની દેખરેખ ?

Webdunia
મંગળવાર, 26 જૂન 2018 (15:11 IST)
વરસાદમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમથી એક છે વાળ. આ ઋતુમાં વાળનું તૂટવુ, બેજાન થવુ અને ડૈડ્રફ સામાન્ય વાત છે. જો આ ઋતુમાં વાળને ઠીક દેખરેખ ન કરવામાં આવે તો વાળ ખૂબ જ સમજોર થઈ જાય છે અને તૂટવા માંડે છે. જો તમને વાળની ચમકને કાયમ રાખવી છે તો આ ટિપ્સને ફોલો કરો. 
 
1. યોગ્ય શેમ્પૂનો ઉપયોગ કરવું - માનસૂનમાં વાળ જલ્દી ઓઈલી થઈ જાય છે. તેથી તેને વારેઘડીએ શેમ્પૂ કરવી પડે છે. આવામાં કોઈ સારા બ્રૈડના શેમ્પૂનો ઉપયોગ કરો. તેમા કૈમિકલ ઓછી માત્રામાં થાય છે. 
 
2. એલોવેરા જૈલ - એલોવેરા ડૈડ્રફ બે મોઢાવાળા વાળ અને વાળ ખરવા જેવી સમસ્યાઓનો ઉપચાર કરે છે.  તેની જૈલને કાઢીને સ્કૈલ્પ પર લગાવો અને અડધો કલાક પછી માથુ ધોઈ લો.  તેનાથી બધી સમસ્યાઓથી છુટકારો મળશે. 
3. ભીના વાળમાં કાંસકો ન કરવું - ભીના વાળમાં ક્યારેય કાંસકો ન કરો. કારણ કે આ સમયે વાળ કમજોર થઈ જાય છે. તેના સુકાયા પછી મોટા કાંસકાથી વાળની ગૂંચ કાઢો. 
 
4. વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવું - વરસાદની ઋતુમાં કોશિશ કરો કે વાળ પર વધુ બહારના પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો. એવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો જેમા પેરાબેન્સ અને સલ્ફેટની માત્રા ઓછી હોય. તેનાથી તમારા વાળને વધુ નુકશાન નહી પહોંચે. 
5. તેલ લગાવવો - રાત્રે સૂતા પહેલા તેલને હળવુ ગરમ કરી વાળ પર મસાજ કરો અને સવારે ધોઈ લો. તેનાથી વાળ ડાય નહી થાય અને ચમક પણ આવશે. 
 
6. સીરમનો ઉપયોગ  - વાળ ધોયા પછી તમારા વાળ પર સિરમ લગાવો. તેનાથી વાળ મોઈસ્ચરાઈઝ થશે અને સુંદર દેખાશે. 
 
7. કંડીશનરનો ઉપયોગ - તમારા વાળને શેમ્પૂ કર્યા પછી કંડીશનરનો ઉપયોગ જરૂર કરો. આ વાળને નાના-નાના ભાગ કરીને તેના પર હળવુ કંડીશનરનો ઉપયોગ કરો. 
 
8. સ્વસ્થ આહાર - તમારી ડાયેટમાં પૌષ્ટિક આહાર સામેલ કરો. જેમા પ્રોટીનની માત્રા વધુ હોય. આ આહાર તમારા વાળને સમય પહેલા સફેદ થતા બચાવે છે અને વાળની લંબાઈ વધવાની સાથે જ તેની જડોને પણ સ્વસ્થ બનાવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments