Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળ ખરી રહ્યા છે ? તો મુંઝાશો નહી... બસ આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Webdunia
બુધવાર, 28 નવેમ્બર 2018 (16:20 IST)
વાળ એ આપણા ચેહરાની સુંદરતામાં વધારો કરે છે.  વાળને લઈને છોકરો હોય કે છોકરી દરેક ચિંતામાં રહે છ્ ગરમી અને ઠંડીની મિક્સ સિઝનના આ સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં જો તેની ખાસ કાળજી ન રાખવામાં આવે તો તે વધુ રુશ્ક થઈ જાય છે અને ખોડો તેમજ અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે તેથી તેની યોગ્ય કાળજી જરૂરી છે. તો ચાલો આજે આપણે નજર કરીએ એવી ઘરગથ્થુ ટિપ્સ પર જેનો ઉપયોગ કરતાં જ વાળ ખરતા અટકશે.
 
ખરતા વાળ રોકવાની ટિપ્સ…
 
 
લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાવવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ફરીથી આવશે.
ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે.
ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી.
રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.
આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Price Today- સોમવારે નવા દર જાહેર થયા, ખરીદી કરતા પહેલા કિંમત જાણી લો

Stock Market Today- સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી! સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 24,570 ને પાર

બિહારમાં એક પેસેન્જર ટ્રેનના ત્રણ કોચમાં ભીષણ આગ લાગી, જેના કારણે મુસાફરો ગાઢ નિંદ્રામાં સરી પડ્યા; ભયનો માહોલ સર્જાયો.

માંજલપુર પેટાચૂંટણી મતગણતરી: પહેલા રાઉન્ડના અંતે ભાજપ 1640 મતથી આગળ, બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

વધુ જુઓ..

ધર્મ

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments