Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સાત બેઠકો પર મહિલા કોંગ્રેસે ટિકીટ માંગી

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (14:21 IST)
કોંગ્રેસના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં દિલ્હી બાદ ફરીથી અમદાવાદમાં આગામી શુક્રવારથી પક્ષના ઉમેદવારોને નિશ્ચિત કરવા સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસીય બેઠક યોજાશે.  ત્યારે  મહિલા કોંગ્રેસ દ્વારા શહેરની બાપુનગર, નિકોલ, અમરાઇવાડી સહિત સાત બેઠકની માગણી કરાઇ છે.  છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ભાજપને સોળ બેઠક પૈકી ૧૪ બેઠક મળી હોઇ પક્ષના હાલના બન્ને સિટિંગ ધારાસભ્ય શૈલેશ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને પુનઃ ટિકિટ મળશે જ્યારે બાકીની બેઠક પૈકી અડધોઅડધ એટલે કે સાત બેઠક માટે મહિલા કોંગ્રેસ દ્વારા પક્ષ હાઇકમાન્ડ સમક્ષ વટવા, નિકોલ, ચાંદલોડિયા, બાપુનગર, સાબરમતી, અમરાઇવાડી અને નરોડા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકીટ ફાળવવાની માગણી કરાઇ છે

અલબત્ત છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ઠક્કરબાપાનગરથી એકમાત્ર મહિલા ઉમેદવારને ટિકિટ અપાઇ હતી. આ અંગે પૂછતાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલ વધુમાં કહે છે વિધાનસભાની ચૂંટણીમાં અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જેમ મહિલા અનામત ન હોઇ પક્ષ હાઇકમાન્ડ કોઇ મહિલા લોકપ્રિય હોવા છતાં તેને ટિકિટ ફાળવવામાં ખચકાટ અનુભવે છે. જે તે મહિલા ઉમેદવાર પોતાની બેઠક પર સ્વપક્ષના પુરુષ અગ્રણીઓનો સંગઠન પરનો દબદબો તેમજ આર્થિક સદ્ધરતા વગેરે બાબતોથી ટિકિટ મેળવવામાં મુશ્કેલી અનુભવે છે. હરિફ પક્ષનો ઉમેદવાર પણ પુરુષ હોય તો મહિલા ઉમેદવારને સમાન તક મળતી નથી. પરિણામે દિ‌લ્હીના કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા હોવા છતાં મહિલા ઉમેદવારોની ટિકિટના મામલે મહંદશે બાદબાકી કરાય છે જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં મહિલા અનામત હોવું ખાસ જરૂરી છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બહરાઈચમાં સાથી વરુના હાથે ઝડપાઈ જતાં 'લંગડો સરદાર' બન્યો ખતરનાક, હવે બાળકી પર કર્યો હુમલો

દંપતી તેમના બે વર્ષના પુત્ર સાથે રીલ બનાવી રહ્યું હતું, ટ્રેનની અડફેટે ત્રણેયના મોત થયા

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ

સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી

આગળનો લેખ
Show comments