Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે 12:39ના 'વિજય' મુહૂર્તે શપથવિધિનું આયોજન

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2017 (14:59 IST)
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના નામની જાહેરાત બાદ હવે ભાજપની સરકાર 26મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ચાલી રહ્યા હતા. પરંતુ વિધાનસભા સંકુલ બહાર જ શપથવિધિનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ 12:39 કલાકે શપથગ્રહણ કરશે. શપથગ્રહણ સમારંભમાં બીજેપી શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી પણ આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળને પણ આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી ચોથા આવા મુખ્યમંત્રી બનશે જે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. નીતિન પટેલને સતત ત્રીજી વખત નસિબે દગો આપ્યો છે. મોદી પીએમ બનીને દિલ્હી ગયા ત્યારે એવી સંભાવના હતી કે નીતિન પટેલને સીએમ પદ મળશે. જોકે, એ વખતે આનંદીબેન પટેલને સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બીજી વખત જ્ચારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે છેલ્લી ઘડી સુધી સીએમ તરીકે નીતિનભાઈનું નામ ચાલ્યું હતું. પરંતુ અંત સમયે વિજય રૂપાણીના નામની જાહેરાત સીએમ તરીકે કરવામાં આવી હતી. છેલ્લી ચૂંટણી પછી પણ એવી ચર્ચા હતી કે નીતિન પટેલને સીએમ બનાવવામાં આવી શકે, પરંતુ આ વખતે પણ તેમના ડેપ્યુટી સીએમના જૂના પદથી જ સંતોષ માનવો પડ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments