Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surat News - સુરતમાં વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે અથડામણ

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (11:34 IST)
ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે અથડામણ થવાના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પાસના કાર્યકરને માર મારવાના પ્રકરણમાં ધારાસભ્ય કુમાર કાનાણીના સમર્થકોએ હુમલો કરાવ્યો હોવાની આશંકાએ રવિવારે મોડી સાંજે પાસના કાર્યકરોએ હિરાબાગ ખાતે ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલયની બહાર દોડી જઇને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પથ્થરમારો કરતા એક યુવાનને ઇજા પણ પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે.

હૂમલા અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, અમને ડોર ટુ ડોર કેમ્પેઈનમાં લોકોનો સહકાર મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસથી જોઈ ન શકાતા આ ભાડૂતી ગુંડા દ્વારા હુમલા કરાવવામાં આવી રહ્યાં છે.  રવિવારે રાતના સમયે પાસના કાર્યકરો 10થી વધારે બાઇક લઇને હિરાબાગ પાસે આવેલા ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય પાસે પહોંચી જઇને વિરોધ કરી રહ્યા હતા. તેમાં ભાજપના કાર્યકરોએ પણ કોઇ જવાબ આપ્યો નહોતો. જ્યારે પાસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કરતા વાત વણસી હતી.  આ બનાવની જાણ પોલીસને થતા તાત્કાલિક બનાવના સ્થ‌ળે પહોંચી જઇને મામલો થાળે પાડયો હતો. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments