Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી આજે ગાંધીનગરની મુલાકાત લેશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (12:24 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માત્ર ત્રણ કલાક રોકાશે. મુખ્યત્વે તેઓ ગાંધીનગરના અક્ષરધામ મંદિરની રજત જયંતી નિમત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. દરમિયાન તેઓ મુખ્યમંત્રી અને ભાજપના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણીલક્ષી બેઠક યોજે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટની બહાર માનવ સાંકળ રચીને તેમનું સ્વાગત કરવામાં આવશે. મોદી 5.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે જ્યાં તેઓ એક કલાક માટે રોકાશે. અહીં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ આગેવાનો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. 6.30 કલાકે તેઓ અક્ષરધામ પહોંચશે. અહીં તેઓ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપશે. અક્ષરધામની રજત જયંતી નિમત્તે ખાસ તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. વિદ્વાનોનું સન્માન કરશે તેમજ ઉપસ્થિત આમંત્રિતોને ઉદબોધન પણ કરશે. મોદી અક્ષરધામમાં સવા કલાક જેટલું રોકાશે અને 7.45 કલાકે અક્ષરધામ મંદિરથી નીકળી 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments