Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી આજે ગાંધીનગરની મુલાકાત લેશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (12:24 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માત્ર ત્રણ કલાક રોકાશે. મુખ્યત્વે તેઓ ગાંધીનગરના અક્ષરધામ મંદિરની રજત જયંતી નિમત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. દરમિયાન તેઓ મુખ્યમંત્રી અને ભાજપના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણીલક્ષી બેઠક યોજે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટની બહાર માનવ સાંકળ રચીને તેમનું સ્વાગત કરવામાં આવશે. મોદી 5.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે જ્યાં તેઓ એક કલાક માટે રોકાશે. અહીં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ આગેવાનો સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. 6.30 કલાકે તેઓ અક્ષરધામ પહોંચશે. અહીં તેઓ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપશે. અક્ષરધામની રજત જયંતી નિમત્તે ખાસ તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળશે. વિદ્વાનોનું સન્માન કરશે તેમજ ઉપસ્થિત આમંત્રિતોને ઉદબોધન પણ કરશે. મોદી અક્ષરધામમાં સવા કલાક જેટલું રોકાશે અને 7.45 કલાકે અક્ષરધામ મંદિરથી નીકળી 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments