Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં અમિત શાહની સભામાં તોફાન કરાવનારાઓના નામ સરકાર પાસે કોને પહોંચાડ્યા?

Webdunia
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:15 IST)
ગુજરાતમા હાલમાં ચૂંટણી એવા મોડ પર પહોંચી ગઈ છે. જેમાં ભાજપ પોતાના દુશ્મનોને ગણીગણીને તપાસી રહી છે. મેરા ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે એક વર્ષ અગાઉ સુરતના મોટા વરાછા વિસ્તારમાં પી.પી. સવાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તોફાનો થતાં અમિત શાહ માત્ર અને માત્ર ગણીને ચાર જ મિનિટ સુધી પોતાનું વક્તવ્ય આપી શક્યા હતા. આટલી સલામતીની વ્યવસ્થા હોવા છતાં તોફાનો થયા કેમ અને તોફાનો કરાવ્યા કોણે એ મુદ્દે સરકારે તપાસ કરવા માટે એટીએસને આદેશ કર્યો હતો.

એટીએસની ટીમે અત્યંત ગુપ્ત રીતે ઊંડાણપૂર્વક તપાસ કરી એક પછી એક પુરાવા મેળવ્યા હતા અને તપાસ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સુપરત કર્યો હતો. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહની સભામાં તોફાનો થયા તે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો એક ભાગ હતો. પહેલેથી જ નક્કી હતું. તેના માટેની તૈયારી પણ કરી લેવામાં આવી હતી. કારણ કે સભા સ્થળે પ્રવેશવા માટે પાસની વ્યવસ્થા રાખી હતી. જે પાસ ડુપ્લિકેટ છપાયાને આશરે 500થી વધુ યુવાનોને સભામાં ઘુસાડી દેવાયા હતા. જેમાંથી મોટા ભાગના યુવાનોને તોફાનો કરવા બદલ નાણાં પણ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ ખડો થયો હતો કે ડુપ્લિકેટ પાસ કોણે તૈયાર કરાવ્યા યુવાનોને નાણાં કોણે ચૂકવ્યા વગેરે સવાલો સંદર્ભે એટીએસની ટીમે તપાસ પૂર્ણ કરી છે. વરાછા વિસ્તારના કેટલાક પીઢ રાજકારણીઓની વાત માનીએ તો વરાછા વિસ્તારમાં મોટું માથું ગણાતા ડાયમંડ કિંગ, મોટા ગજાના બિલ્ડર અને રાજકીય ક્ષેત્રે મોટા પાયા પર વગ ધરાવાતા એક ખમતીધર આગેવાનોએ આ તોફાનો કરાવ્યા હતા. હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર એ વ્યક્તિનું નામ જાહેર કરે છે કે કેમ અથવા તો એ વ્યક્તિ સામે કોઈ પગલાં ભરે છે કે કેમ. આતંકવાદીઓની તપાસાર્થે સુરત આવેલા એટીએસના એસપી હિમાંશુ શુક્લાનો આ બાબતે સંપર્ક કરતા તેમણે આ મુદ્દે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments