Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (16:16 IST)
રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કરીને સભા સંબોધી હતી. તેમણે લોકોને સંબોધતાં મોદી ઉપર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે જીએસટી અંગે કહ્યું હતું કે મોદી લોકો પાસેથી ગબ્બરસિંગ નામનો ટેક્સ વસૂલ કરે છે. તેમણે હંમેશા લોકો પાસેથી બધું લીધું જ છે પણ કશું આપ્યું નથી. તેમને કોંગ્રેસ સરકારે શરૂ કરેલી ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજના પણ બંધ કરાવી દીધી. તેમણે મનરેગા બંધ કરીને લોકો પાસેથી રોજગાર પણ છીનવી લીધો છે. મોદી સરકાર દ્વારા ખેડુતોના દેવાં પણ માફ કરવામાં આવતાં નથી. રાહુલે ઉમેર્યું હતું કે આ દેશમાં અમીર ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે છે પણ આ દેશના ખેડૂતોનો શું વાંક છે કે તેમના દેવા માફ કરવામા નથી આવતાં. ભાજપના અમિત શાહ, મોદી અને રૂપાણીના મનની વાત સાંભળવાની ગુજરાતની જનતાને હવે આદત થઈ ગઈ છે.  તમારું વીજળી, પાણી અને જમીન લઈ જાય છે અને તેમની મનની વાત સંભળાવી જાય છે પણ તમારા મનની વાત નથી સાંભળતા. અમારી સરકાર આવશે તો તમારા મનની વાત સાંભળશે.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments