Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના મણીનગર બેઠક પર કોંગ્રેસનું ગ્લેમર હાર્યું, શ્વેતા બ્રહમભટ્ટની હાર

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:15 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે ત્યારથી પહેલી ચૂંટણીને બાદ કરતા તે બાકીની બધી જ ચૂંટણી મણિનગરથી લડ્યા હતા અને દરેક વખતે તેમણે જંગી માર્જિન સાથે અહીંથી વિજય પણ મેળવ્યો હતો. આ વખતે મોદી નથી છતાંય મણિનગરના મતદાતાઓ ભાજપનો સાથ છોડવા તૈયાર નથી એવુ લાગી રહ્યું છે.આ વખતે મણિનગર બેઠક પરથી ભાજપના સુરેશ પટેલને હરાવવાની પૂર્ણ તૈયારી સાથે કોંગ્રેસ કાર્યકર્તા નરેન્દ્ર બ્રહ્મભટ્ટની પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ.

જો કે હાલમાં જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે ભાજપને પછાડવાના આ 34 વર્ષીય યુવતીના મનસૂબા મનમાં જ રહી જવાના છે.મણિનગર સીટ પર ભાજપના સુરેશ ધનજીભાઈ પટેલ મોટા માર્જિનથી જીતી ગયા હતા. તેની સામે શ્વેતા યુવા તથા સ્ત્રી મતદાતાઓને રીઝવવામાં નિષ્ફળ ગઈ હતી અને મણિનગર સીટ પર કોંગ્રેસનો પરાજય થયો હતો. આ સીટ પર અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોને નગણ્ય વોટ મળ્યા હતા.શ્વેતાએ IIM બેંગલુરુમાંથી પોલિટિકલ લીડરશીપનો કોર્સ કર્યો છે. તે દેશના સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની લીડરશીપ વધારવા માંગે છે. આ યુવા નેતાને કોંગ્રેસે ભાજપ સામે મણિનગરની બેઠક પર લડવાનો ચાન્સ આપ્યો હતો.ભાજપની વર્ચસ્વવાળી મણિનગર બેઠક પરથી લડવા અંગે શ્વેતાએ જણાવ્યું હતું કે તેની તાકાત મહિલાઓ અને યુવા મતદારો છે. તે યુવાનો અને મહિલા સશક્તિકરણ માટે કામ કરવા માંગે છે. તે નિમ્ન કક્ષાની રાજનીતિને અટકાવવા માંગે છે. કોંગ્રેસ લોકતાંત્રિક, સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા વિચારધારા ધરાવતી હોવાથી તેણે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments