Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદિવાસી નેતા છોટુ વસાવા માટે કોંગ્રેસ છ બેઠક પર પોતાના મુરતીયા નહીં ઊભા રાખે - સુત્રો

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (16:42 IST)
ગુજરાતમાં કોંગ્રેસ સતત 22 વર્ષથી સત્તામાં નથી કારણ કે તેના નેતાઓની જૂથબંધી કોંગ્રેસને હરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પરંતુ આ વખતે કોંગ્રેસનો દાવ કંઈક ઓર જ જોવા મળ્યો છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ આ વખતે ગુજરાતના એકપણ નેતાનું કહ્યું સાંભળવાનો નથી અને સરવે પ્રમાણે જે બેઠક પર સરળતાથી વિજય મળતો હોય અથવા તો ગઠબંધનથી ફાયદો થતો હોય તે પ્રમાણે આગળ વધવા માંગે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતી વેબસાઈટોના એક રીપોર્ટમાં જોવા મળ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના નેતા છોટુ વસાવા સાથે કોંગ્રેસ ગઠબંધન કરીને ત્યાંની છ સીટો પર ચૂંટણી લડવા માટે પોતાના મૂરતીયા નહીં ઉભા રાખે. કોંગ્રેસે આ બાબતે પૂરો અભ્યાસ કરીને  એવુ નક્કી કર્યું  છે કે છોટુ વસાવા ટ્રાઈબલ પાર્ટીના નેઝા હેઠળ ચુટણીમાં ઝંપલાવશે અને કોંગ્રેસ ટ્રાઈબલ પાર્ટીને છ બેઠકો આપશે, આ બેઠખો ભરૂચ જિલ્લાની છે, જયા આદિવાસીઓની સંખ્યા વિશેષ અને વસાવાનો દબદબો છે. આ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાનો એક પણ ઉમેદવાર ઉભો રાખશે નહીં, જેના બદલામાં છોટુ વસાવા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના પ્રચારમાં આવશે.આ પ્રકારે હાલના તબ્બકે કોંગ્રેસ એનસીપીના જીતી રહેલા બે ઉમેદવાર સામે પણ પોતાનો ઉમેવાર મુકશે નહીં, જો કે એનસીપી હજી વધ બેઠકો ફાળવવાની માગણી કરે છે, પણ કોંગ્રેસ પોતાના અભ્યાસ પછી લાગશે તો એનસીપીના જીતી શકે તેવા ઉમેદવાર સામેથી ખસી જશે, જયારે એક અપક્ષ ઉમેદવાર ડૉ કનુ કલસરીયા સામે કોઈ પણ પ્રકારની શરત મુકયા વગર કોંગ્રેસે ઉમેદવાર નહીં ઉભો રાખવાનો નિર્ણય છે, કલસરીયા જે પણ બેઠક ઉપર ઉભા રહેશે ત્યાંથી કોંગ્રેસ ખસી જશે, હાલના તબક્કે નવ બેઠકો ઉપર ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય લીધો છે, પણ સંજોગો અને સ્થિતિ જોતા તેમાં વધારો થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments