Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરુચ પાસે જાનૈયાઓની બસને અકસ્માત નડ્યો- કન્યા સહિત ચારના મોત

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (15:40 IST)
ભરૂચના નબીપુર પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત નડતાં બસમા સવાર એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 15 લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં નવવધૂનું પણ મોત થયું છે. 4 મૃતકોને પીએમ અર્થે ભરૂચ સીવિલ લઇ જવાયા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુરતના પરવત પાટિયા પાસે રહેતો પરિવાર સૌરાષ્ટ્રના દ્વારકાથી નવવધૂ લઇને પરત ફરી રહ્યો હતો. એ સમયે ભરૂચના નબીપુર બ્રિજને ક્રોસ કરીને સાહેલ હોટલ પાસે રેતી ભરેલી ટ્રક પંક્ચર હાલતમાં ઊભી હતી. ભારે ધૂ મ્મસ હોવાના કારણે બંધ પડેલી ટ્રકને બસ ડ્રાઇવર જોઇ શક્યો ન હતો અને ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ડ્રાઇવર સાઇડની બસનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments