Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓખી ચક્રવાતે રાજકીય સભાઓનો ભોગ લીધો, જાણો કોની સભાઓ રદ થઈ

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:30 IST)
ગુજરાતમાં 7 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેથી બંને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરવામાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. પરંતુ આ પ્રચારને ઓખીએ બ્રેક લગાવી છે. ઓખી સાઈક્લોનની અસર ગુજરાત ચૂંટણીના પ્રચાર પર પડી છે.  ઓખી વાવાઝોડાના અસરને કારણે કેટલાક નેતાઓના પ્રવાસ રદ થયા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની 3 સભાઓ રદ થઈ છે. અમિત શાહની આજે મંગળવારે રાજુલા, મહુવા અને સિહોરમાં થનારી રેલીઓ રદ કરવામા આવી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની સુરતના મજૂરામાં યોજાનારી સભા વરસાદી માહોલના કારણે રદ કરવામાં આવી છે. ઓખી વાવાઝોડને કારણે કોંગ્રેસ નેતા રાજ બબ્બરનો જૂનાગઢનો પ્રવાસ રદ કરાયો છે. તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમના પ્રવાસ પર પણ અસર પડી શકે છે. ઓખીના તોફાનને કારણે ગુજરાતના અનેક ઠેકાણે વરસાદ અને તેજ હવાઓ ચાલી રહી છે. તેમજ દરિયા કિનારે વેગીલો પવન ફૂંકાઈ રહ્યો છે. આવામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments