Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર - જસદણમાં હાર્દિકનો રોડ શો

Webdunia
સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:22 IST)
આજે હાર્દિક પટેલનો જસદણમાં રોડ શો અને આટકોટમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે તડકો નથી આવતો એટલે વિજય નક્કી છે. શું પાક વીમો બધા ખેડૂતોને મળી ગયો.  સરકાર આવશે તો કપાસના 1500 આપીશ તેવું ભાજપે કહ્યું હતું પણ એક મણના કે બે મણના. આપણે ખેડૂતો અઢી વર્ષે બળદ બદલતા હોઇએ છીએ પરંતુ 25 વર્ષથી સરકારમાં બેઠેલા ખૂંટીયાઓને બદલવાની જરૂર છે.   હાર્દિકે વધુમાં જણાવ્યું  હતું કે,  પાણી વગરના રૂપાણીએ 0 ટકાએ લોન આપી તેવી ખેડૂતોને વાત કરી તો તમને મળી ખરી. ખેડૂતોને આદત પડી ગઇ છે ગુલામી કરવાની. માર્કેટ યાર્ડમાં ભાજપના આગેવાનોની ખરીદી પહેલા કરવામાં આવે છે.  

જો ખેડૂતો અવાજ કરશે તો જ સરકાર સાંભળશે. ભાજપ બહેરી થઇ ગઇ છે. ચૂંટણી   અત્યારના ખેડૂતનો દીકરો ખેડૂત બનવાનું વિચારતો નથી. ભાજપની સરકારે આપણા 24 છોકરાઓને મારી નાંખ્યા. આપણને ગોરાઓથી આઝાદી મળી છે.  કોઇપણ હોસ્પિટલનું ઉદઘાટન કરાવો તો ભાજપના નેતાઓને શું કામ બોલાવો છો. 19મી ડિસેમ્બરે અખબારોમાં એવું આવવું જોઇએ કે, ગુજરાતમાં અહંકારની હાર થઇ તેવી અપેક્ષા રાખું છું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments