Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું નીતિન પટેલ પાટીદારોને મનાવવાની ડેમેજ કંટ્રોલની સોંપાઈ જવાબદારી નિભાવી શકશે

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (16:27 IST)
ગુજરાતમાં ડીસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અને દલિત સમાજની નારાજગી સત્તાધારી પક્ષ ભાજપ માટે ભારે મુશ્કેલી ઉભી કરી શકે છે. ભાજપનું હાઈકમાન્ડ આ બાબતથી સારી રીતે વાફેક છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી ભાજપ હાઈકમાન્ડે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને  સોંપવામાં આવી છે. જો કે એ જોવું રસપ્રદ રહેશે કે વિરોધના આ માહોલ વચ્ચે નીતિન પટેલ કઈ રીતે પાટીદારોને મનાવવામાં સફળ થશે.

પાટીદાર આંદોલનકારીઓ સાથે ચર્ચા કરનારી કમિટીના પ્રમુખ નીતિન પટેલ હતાં જેઓએ અનામત અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી અને વર્ષો સુધી મંત્રી તરીકે શાસન કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાતમાં પાટીદાર સમાજની જન સંખ્યા ઉપરાંત આર્થિક અને સામાજિક પ્રભુત્વ પણ ઘણું છે ત્યારે કોઈપણ રાજકીય પક્ષ તેમની ઉપેક્ષા કરી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ દ્વારા હવે ડેમેજ કંટ્રોલ તરીકે નીતિન પટેલને ઉતારવામાં આવ્યાં છે ત્યારે શું તેઓ સફળ થશે કે નહિ તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે પાટીદાર સમાજનો સૌથી વધુ ગુસ્સો નીતિન પટેલ પર જ છે. સમગ્ર ગુજરાતમાં અનામત આંદોલનનું એપી સેન્ટર મહેસાણા હતું અને અહી જ સૌથી વધુ અસર જોવા મળી હતી. આંદોલન દરમિયાન નીતિન પટેલ દ્વારા પાટીદાર સમાજના જે દીકરાઓ મૃત્યુ પામ્યા ત્યારે આશ્વાસનના બે શબ્દો પણ કહેવાયા નહોતા. પાટીદાર નેતા હોવા છતાં તેમણે પાટીદારોને સાથ આપવાના સ્થાને બેઠકો બોલાવીને ફક્ત આંદોલનકારીઓને ડરાવી ધમકાવી આંદોલન બંધ કરવાની સુચના આપી જેના કારણે પાટીદાર સમાજનો રોષ વધી ગયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments