Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકિય પક્ષોના ૮૦ સ્ટાર પ્રચારકો ૨૨ નવેમ્બર પછી ગુજરાત ઘમરોળશે

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (12:28 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ૪૦-૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ ૨૧ નવેમ્બર છે અને તેના બીજા દિવસથી સ્ટાર પ્રચારકો ચૂંટણીના સંગ્રામમાં પ્રચાર માટે ઝંપલાવશે. જોેકે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, સ્મૃતિ ઇરાની, હેમા માલિની, પરેશ રાવલ, યોગી આદિત્ય નાથ જેવા રાષ્ટ્રીય નેતા તેમજ આનંદીબહેન પટેલ, વિજય રૃપાણી, નીતિન પટેલ જેવા રાજ્યના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. એક સંભાવના એવી પણ છે કે ભાજપ એક જ દિવસમાં અલગ-અલગ વિધાનસભા બેઠક પરથી ૩૦ સ્ટાર પ્રચારકો પાસે જાહેર સભા કરાવશે. તમામ ૧૮૨ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર શરૃ કરશે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ૩૦ જેટલી સભા અને રોડ શો યોજે તેવી સંભાવના છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વિજય રૃપાણી ઉપરાંત મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડનવીસ, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનનાં વસુંધરા રાજે એમ પાંચ રાજ્યના મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ કોંગ્રેસની યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, અહેમદ પટેલ, સામ પિત્રોડા, નવજોતસિંહ સિદ્ધુ, રાજ બબ્બરનો સમાવેશ થાય છે. સ્ટાર પ્રચારકોમાંથી બહુજન સમાજ પાર્ટીમાંથી માયાવતી, સમાજવાદી પાર્ટીમાંથી અખિલેશ યાદવ, એનસીપીમાંથી શરદ પવારનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments