Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વણઝારાને ટિકીટ આપશે

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (12:47 IST)
ત્રાસવાદના મુદ્દાને ચૂંટણીના સેન્ટર સ્ટેજ પર લાવવાના હેતુથી ભાજપ હુકમનું પત્તુ ઉતરે તેવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. આધારભૂત સુત્રોનું કહેવું છે કે. એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ તરીકે જાણીતા તથા ફેક એન્કાઉન્ટર કેસમાં દોષિત આઈપીએસ ઓફિસર ડી.જી.વણઝારાને ભાજપ ટીકીટ આપી શકે છે. આવનારા દિવસોમાં વણઝારા ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી આવે તેમ છે. જો આમ થાય તો અત્યાર સુધીમાં પોતાના આક્રમક વલણને કારણે ભાજપને ડીફેન્સીવ મોડ પર લાવનારી કોંગ્રેસ માટે એક પ્રકારનો ટ્રેપ તૈયાર થશે. 

છેલ્લા 22 વર્ષમાં કદાચ પ્રથમવાર એવું થઇ રહ્યું છે કે, ભાજપ રાજયની વિવિધ જાતિઓ તરફથી ઉગ્ર વિરોધનો સામનો કરી રહ્યું છે.  સોશીયલ મિડીયા પર વિકાસનો મુદ્દો એક મજાક બની ગયો છે. રાજયના ખેડૂતો, પાટીદારો, ઠાકોરો, કોળીઓ, દલિતો અ્ને આદિવાસીઓ ઉપરાંત આશા વર્કરો અને ફીક્સ તેમજ કોન્ટ્રાકટ પર કામ કરનારા લોકો સરકારની નિતીઓનો ખુલ્લીને વિરોધ કરી રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપ માટે એવો મુદ્દો હાથમાં હોવો જરૂરી છે કે જેનાથી ગુજરાતની જનતા સાથે સીધુ કનેક્ટ કરી શકાય. સોહરાબુદ્દીન, ઇશરત જહાં વિગેરે એન્કાઉન્ટર કેસમાં જેમના પર આરોપ લગાવાયા હતા તે ડી.જી.વણઝારા હવે સોરહાબુદ્દીન એન્કાઉન્ટરમાં ઓગસ્ટ 2017માં આરોપ મુકત થઇ ગયા છે. વણઝારા પોતાને ગૌરવભેર આ સ્થિતિ ઉભી થાય તો કોંગ્રેસ ફીક્સમાં મુકાઇ શકે છે, કારણ કે, વણઝારા પર લાગેલા એન્કાઉન્ટરના આરોપો અને તે સંબધિત અન્ય ભાજપના નેતાઓ અંગે સામા પ્રહારો કરવાનું શરૂ કરે તો ભાજપ ફરી એકવાર મતોનું ધ્રુવિકરણ કરવામાં સફળ થાય તેવા સંજોગો વધુ પ્રબળ થઇ જાય તેમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments