Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેવલિયામાં અમિતશાહનું ભભકાભેર સ્વાગત કરાયું. આદિવાસીને ઘેર ભોજન લીધું

Webdunia
બુધવાર, 31 મે 2017 (15:18 IST)
ભાજપ દ્વારા 5 જૂન સુધી યોજાનાર વિસ્તારક કાર્યક્રમ અનુંસંધાને આજે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ છોટાઉદેપુર અને વડોદરાની મુલાકાતે આવ્યા છે.  અમિત શાહના આગમન પૂર્વે છોટા ઉદેપુરનાં દેવલિયા ગામે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં અમિત શાહ આવી પહોંચતા જ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે તીર-કામઠું આપી લોકોએ ઢોલ નગારા સાથે પરંપરાગત નૃત્ય થકી ફૂલ-હાર આપી ભવ્ય સ્વાગત કર્યું હતું. શાહે પ્રોટોકોલ તોડી દેવળિયાના ગ્રામજનોની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ તેઓએ આદિવાસી બંધુ પોપટભાઈ રાઠવાને ત્યાં ભોજન લીધું. તેઓએ બાજરીના રોટલા, રીંગણનું શાક, તાંદળજાની ભાજી અને લાપસી જમ્યા હતાં.શાહે બુથ સમિતિની બેઠકમાં વિજય અપાવવા હાકલ કરી હતી. આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજી સ્થાનિક રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે.  અમિત શાહે કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે મજબૂત ગઢ છે. ભાજપની કામગીરીને ઘરે ઘરે પહોંચાડવાનો હેતુ છે.

1990થી ભાજપ ગુજરાતમાં હાર્યું નથી. દેશનું સન્માન વધારવાનું કામ ભાજપ કરી રહ્યું છે. આપણું સૌભાગ્ય છે કે નરેન્દ્ર મોદી આપણું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે ભાજપાના સભ્યો બનાવવા માટે નવો નંબર આપ્યો હતો. સાથો સાથ એમ પણ કહ્યું કે બુથ બનાવવાનું મારા નસીબમાં આવ્યું. ભાજપ સંગઠનની પાર્ટી છે. કેન્દ્રમાં મોદીની અધ્યક્ષતામાં સરકાર ચાલે છે અને ગુજરાતમાં રૂપાણીની અધ્યક્ષતામાં સરકાર ચાલે છે. મોદી CM હતા ત્યારે 120 બેઠક જીત્યા હતા હવે PM છે તો 150 બેઠક જીતીશું
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments