Festival Posters

Cyclone- વાવાઝોડું કઈ રીતે સર્જાય છે? વાવાઝોડા વખતે બંદર પર અપાતાં સિગ્નલનો શું અર્થ છે?

Webdunia
ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (08:24 IST)
વાવાઝોડું, (Cyclone), વાવાઝોડા
સમુદ્રનાં ગરમ પાણીથી ગરમ થયેલી હવા ઉપર ઊઠે છે. હવે આ જ હવા ફરીથી ઠંડી પડીને નીચે તરફ આવતી હોય, ત્યારે નીચેથી પહેલાંથી જ ગરમ થયેલી હવા બાજુમાં ધકેલી દે છે.
 
આ પ્રક્રિયા હવાની ગતિ વધારી દે છે. આવી સ્થિતિમાં દરિયામાં મોજાં પણ ઊંચે સુધી ઊછળે છે. આ જ મોજાં કાંઠેનાં શહેરો અને ગામડાંમાં તબાહી સર્જતાં હોય છે.
 
જમીન પર ભારે ઝડપથી ફૂંકાતા પવનો પણ નુકસાન સર્જતા હોય છે.
 
 
વાવાઝોડા વખતે વીજળી પડે તો શું કરશો?
વાવાઝોડાની સાથે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે, ક્યાંક-ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.
 
વાવાઝોડા વખતે ઘણી વખત વીજળી પડવાનું જોખમ પણ તોળાતું હોય છે.
 
જો કોઈના પર વીજળી પડે તો શું કરવું? અથવા તો આ પ્રકારની સ્થિતિમાં કઈ રીતે બચી શકાય?
 
વાવાઝોડા વખતે બંદર પર અપાતાં સિગ્નલનો શું અર્થ છે?
 
ગુજરાતના અલગ-અલગ દરિયાકાંઠા પર વાવાઝોડાને પગલે સિગ્નલ આપી દેવામાં આવ્યાં છે.
 
દરિયામાં જ્યારે વાવાઝોડું(Cyclone)આવે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
 
કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારતમાં દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે.
 
દિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.
 
ભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.
 
Cyclone, હરિકૅન કે ટાયકૂન વચ્ચે શું ફેર?
 
ગુજરાત પર હાલ તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને સીધી અસર કરે તેવી શક્યતા છે અને 2021નું આ પ્રથમ વાવાઝોડું છે.
 
સાયક્લોન, હરિકૅન, ટાયકૂન, સુપર ટાયકૂન આ શબ્દોને એકસરખા સમજવાની ભૂલ ન કરવી જોઈએ, આ અલગ-અલગ શબ્દોના જુદા-જુદા અર્થ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

LSG vs GT Live Cricket Score - લખનૌને પહેલો ફટકો પડ્યો; મિશેલ માર્શ પેવેલિયન પરત ફર્યો

શાંતિ મંત્રણા તૂટી પડ્યા બાદ, ટ્રમ્પે મોટી જાહેરાત કરી: ઈરાન સામે નૌકાદળની નાકાબંધીની ધમકી

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

SIR ને પગલે, 12 રાજ્યોમાંથી 50 મિલિયન બોગસ નામો દૂર કરવામાં આવ્યા: ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી

શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી સોના અને ચાંદીના ભાવ પર શું અસર પડશે? મુખ્ય શહેરોમાં નવીનતમ ભાવ જાણો

વધુ જુઓ..

ધર્મ

Panchak April 2026: આજે 12 એપ્રિલથી પંચક શરૂ , જાણો આ 5 દિવસ દરમિયાન કયા કામ કરવાથી બચવું જોઈએ

Aaj nu panchang- આજનુ પંચાગ - 12 એપ્રિલ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

આગળનો લેખ
Show comments