Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગના કેમ હોય છે, કયા રંગની સૌથી વધુ વેલ્યુ, સાંભળીને ચોંકી જશો

વેબ દુનિયા ફીચર ટીમ
બુધવાર, 15 એપ્રિલ 2026 (10:50 IST)
Indian Passport


Amazing Facts : પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા માટેનુ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેંટ છે. આ મુસાફરોની ઓળખ સાબિત કરે છે અને વિદેશ યાત્રાની કાયદાકીય અનુમતિ આપે છે.  પાસપોર્ટ વગર કોઈ પણ વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકતું નથી. વિઝા મેળવવા, વિદેશમાં બેંક ખાતું ખોલવા, હોટલ બુક કરવા અને ઈમરજંસી મદદ મેળવવા માટે તે જરૂરી છે. પાસપોર્ટમાં વ્યક્તિગત વિગતો, ફોટો અને બાયોમેટ્રિક માહિતી હોય છે, જે સુરક્ષા સુનિશ્ચિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પાસપોર્ટ જુદા-જુદા રંગોના કેમ હોય છે? જો તમે નથી જાણતા  તો અમે તમને જણાવી દઈએ કે ભારતમાં પાસપોર્ટ ચાર અલગ અલગ રંગો (વાદળી, સફેદ, લાલ અને નારંગી) ના હોય છે. ખરેખર, દરેક રંગ પાછળ એક ખાસ કારણ હોય છે, જે અમે આજે તમને બતાવી રહ્યા છીએ.
 

પહેલા આ જાણી લો  
 

ઉલ્લેખનીય છે કે 1967 ના પાસપોર્ટ અધિનિયમ હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા પ્રબંધિત ભારતના પાસપોર્ટ પ્રણાલીમાં ઉલ્લેખનીય વિકાસ થયો છે.  બાયોમેટ્રિક ચિપથી લેસ ઈ-પાસપોર્ટની તાજેતરની શરૂઆત ભારતીય નાગરિકો માટે વિદેશ યાત્રાને ઝડપી, સુરક્ષિત અને અધિક સુવિદ્યાજનક બનાવી દીધી છે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Marketing Quake (@marketingquake)

 

ઈસ્ટાગ્રામ પર વાયરલ પોસ્ટ દ્વારા સંક્ષેપમાં સમજો 
 

ઈંસ્ટાગ્રામ પર marketingquake નામના હેંડલ પરથી પાસપોર્ટના રંગો સાથે જોડાયેલ એક પોસ્ટ કરવામાં આવી હતી. તેને સંક્ષેપમાં સરળ ભાષામાં આ રીતે સમજી શકીએ છીએ.   

સફેદ રંગના પાસપોર્ટનો ઉદ્દેશ્ય 
 

 ભારતમાં સફેદ પાસપોર્ટ ફક્ત સરકારી અધિકારીઓ, સિવિલ સેવકો અને સત્તાવાર કામકાજ માટે મુસાફરી કરનારા લશ્કરી કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે,  હવે તે RFID ચિપ સાથે સુરક્ષિત ઇ-પાસપોર્ટ તરીકે જારી કરવામાં આવે છે જેથી છેડછાડ અટકાવી શકાય. એ નોંધનીય છે કે આ પાસપોર્ટ મેળવવામાં ખૂબ જ કઠિન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અરજદારોએ સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, તેમના વિભાગ તરફથી ફરજ પ્રમાણપત્ર, સત્તાવાર ડિસ્પેચ લેટર અને વડા પ્રધાન કાર્યાલય (PMO) તરફથી મંજૂરી પ્રદાન કરવાની જરૂર છે.
 

લાલ રંગના પાસપોર્ટનો ઉદ્દેશ્ય 

ભારતમાં મળનારા  લાલ પાસપોર્ટ રાજદ્વારીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને તેમના પરિવારોને જારી કરવામાં આવે છે. આ પાસપોર્ટ ધારકોને ઝડપી વિઝા પ્રક્રિયા અને ચોક્કસ દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ મળે છે. આ પાસપોર્ટ ઇ-પાસપોર્ટ ફોર્મેટમાં પણ રજુ  કરવામાં આવતા હોવાથી, તેમની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિમાં વધારો થાય છે. રાજદ્વારી પાસપોર્ટ અરજીઓ કડક ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેમાં સત્તાવાર ઓળખ, ડ્યુટી પ્રમાણપત્ર, ફોરવર્ડિંગ લેટર અને વડા પ્રધાન કાર્યાલય તરફથી મંજૂરીનો સમાવેશ થાય છે. આ ખાતરી કરે છે કે ફક્ત અધિકૃત વ્યક્તિઓને જ સંવેદનશીલ રાજદ્વારી મુસાફરી કરવાની મંજૂરી છે.
 

નારંગી રંગના પાસપોર્ટનો ઉદ્દેશ્ય 

નારંગી રંગનો પાસપોર્ટ એવા ભારતીય નાગરિકોને રજુ કરવામાં આવે છે જેમણે ચોક્કસ સ્તરનું શિક્ષણ પૂર્ણ કર્યું નથી અથવા જેઓ કામકાજ માટે ચોક્કસ દેશોમાં મુસાફરી કરી રહ્યા છે. આ માટે વધારાની મંજૂરીની જરૂર છે. નારંગી રંગનો પાસપોર્ટ સૂચવે છે કે પાસપોર્ટ ધારકે વિદેશ મુસાફરી કરતા પહેલા વધારાની ઇમિગ્રેશન પ્રક્રિયાઓમાંથી પસાર થવું આવશ્યક છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, ફ્લેશ ફ્લડથી ભયાનક તબાહી; 10 લોકોનાં મોત, અનેક લાપતા

દારૂ પીવાથી રોક્યો તો કલયુગી પુત્રે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધ માતાની લાકડીથી માર મારી હત્યા

કોટાના બોયઝ હોસ્ટેલમાં ઘૂસ્યો 5 ફૂટ લાંબો મગર, વિદ્યાર્થીઓમાં મચી દોડધામ; VIDEO સામે આવ્યો

વધુ જુઓ..

ધર્મ

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments