Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, પદ્માવત ફિલ્મનું ગુજરાત કનેક્શન

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (15:34 IST)
પદ્માવતિ-ખિલજીની ફિલ્મ પરનો પ્રતિબંધ હાલ સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. પરંતુ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા 'કરણ ઘેલો'માં ખિલજીએ ગુજરાત પર કરેલા આક્રમણની જ કથા રજૂ કરવામાં આવી છે. પદ્માવત ફિલ્મ સામેના વિવિધ વાંધા પૈકીનો એક વાંધો ખિલજીને હિરો તરીકે રજૂ કરવા સામે છે. ખીલજી ક્રૂર અને હિન્દુ વિરોધી રાજવી હતો, એટલે તેની પરાક્રમ કથા રજૂ કરવામાં હાલ તો સંજય લીલાને જ મુશ્કેલી પડી રહી છે.

ફિલ્મમાં તો જે હોય એ ખરું પણ નવલકથા કરણ ઘેલોમાં ખિલજીના ગુજરાત પરના આક્રમણની વાર્તા છે. કરણ ઘેલો ૧૮૬૬માં લખાયેલી ગુજરાતી ભાષાની પ્રથમ મૌલિક નવલકથા તરીકેની ઓળખ ધરાવે છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૃ કરેલી 'વાંચે ગુજરાત' યોજનામાં પણ આ પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ વખતે કોઈને તેનો વિરોધ કરવાનું યાદ આવ્યું ન હતું. ગુજરાત સરકારે જોકે ત્યારે કરણ ઘેલો કથાનું યોગ્ય સન્માન કર્યું હતું કેમ કે ગુજરાતી ભાષાની એ પ્રથમ નવલકથા છે અને માટે ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન અમર છે. વાર્તાની શરૃઆત આવી રીતે થાય છે ઃ

'એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગૂજરાત એટલે ગુજ્જર દેશમાં સંવત ૮૦૨ એટલે ઈસવી સન ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહ વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજાનો હુકમ જાહેર થયો. જ્યોતિષવિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈનમાર્ગના જોષીઓને બોલાવીને પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રગટ કીધું કે ઈસવી સન ૧૨૯૭માં તેનગરનો નાશ થશે. ' આ રીતે શરૃ થતી વાર્તામાં ઘણા પ્રસંગોકાલ્પનિક તો ઘણા સાચા છે. આજની નવલકથા કરતાં તેની ભાષા અને રજૂઆત ઘણી અલગ છે, પરંતુ એ સમય દોઢ સદી પહેલાનો હતો. વાર્તામાં ખિલજીના આક્રમણનો જે સમય દર્શાવ્યો છે એ ગાળામાં જ ઈતિહાસ પ્રમાણે ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. ગુજરાતના ઘણા પ્રદેશ પર કબજો મેળવ્યો હતો અને ખાસ તો હિન્દુ ધર્મસ્થાનોને ધ્વંસ કર્યા હતા.

પુસ્તકમાં લખ્યું છે ઃ 'અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખૂની એ નામથી ઓળખાય છે.' એ પરિચય આજે ૮૦૦ વર્ષ પછી પણ સાચો છે. આ વાર્તાનો અંત રાજા કરણના મોત સાથે આવ્યો હતો. એ પછી ગુજરાતમાં એક પછી એક ઘણા મુસ્લીમ આક્રમણો આવ્યા એ વાત પણ ઐતિહાસિક દૃષ્ટિએ ખોટી નથી. વર્ષો પછી ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ધૂમકેતુએ પણ ૧૯૫૨માં 'રાય કરણ ઘેલો' નામની ઐતિહાસિક નવલકથા લખી હતી. તેમાં પણ કરણ અને ખિલજીના જંગની વાત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments